અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન બાદ ગુજરાતને મળશે નવો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ. અમદાવાદ-દિલ્લી રૂટ માટે સર્વે કરવા કેન્દ્રીય રેલ મંત્રી દ્વારા અપાયા આદેશ
ગુજરાતને મળશે બીજો નવો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
અમદાવાદ-દિલ્લી રૂટ માટે શરુ કરાશે સર્વે
કેન્દ્રીય રેલવે મંત્રી દ્વારા સર્વેના અપાયા આદેશ
ગુજરાતમાં ઠેર ઠેર વિકાસના કામો ચાલી રહ્યા છે. ત્યારે હવે ફરી એકવાર વધુ એક પ્રોજેક્ટ ગુજરાતને ફાળે આવી શકે છે. અમદાવાદ- મુંબઇ રેલવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાદ અમદાવાદ-દિલ્લી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરુ થઇ શકે છે. આ માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સર્વેના આદેશ આપી દીધા છે. ટુંક સમયમાં રેલવે વિભાગ દ્વારા અમદાવાદ-દિલ્લીના રૂટ અંગે વધુ નિયમો જાહેર કરાશે.
નવો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
અમદાવાદ-દિલ્હી બુલેટટ્રેનના રુટ માટે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે સંસદમાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. જો કે હાલમાં અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી ચાલી રહી છે. જેમાં જાપાની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સરકાર પાસે સાત હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની યોજના છે. જેમાં દિલ્હી-વારાણસી, દિલ્હી-અમૃતસર, દિલ્હી-અમદાવાદ, મુંબઈ-નાગપુર, મુંબઈ-હૈદરાબાદ અને ચેન્નાઈ-બેંગલુરુ-મૈસુર અને વારાણસી-હાવડાનો સમાવેશ થાય છે.
અંતિમ ફેઝમાં મુંબઈ-અમદાવાદ બુલેટટ્રેનનું કામ
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનની રાહ ભારતના તમામ લોકો કરી રહ્યા છે. આ પ્રોજેક્ટનું કામ હાલ તેના અંતિમ ફેઝમાં છે. આ ટ્રેનના લોકેશનનું તમામ કામ ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. રેલ મંત્રાલયે આ વાતની ખરાઇ કરતાં કહ્યું હતું કે ફાઇનલ લોકેશન માટે વન્યજીવ, જમીન માપણી વિભાગ અને વન વિભાગ પાસેથી મંજૂરી પણ મળી ચૂકી છે. એવામાં હવે કોઈ પણ વિલંબ કર્યા વિના ખૂબ જ ઝડપે આ કામ થઈ રહ્યું છે. ફાઇનલ લોકેશન અને જિયોટેકીનીકલ તપાસ પૂરી થયા બાદ આ કામ જલ્દી જ પૂર્ણ થાય તેવી યોજના બનાવી છે. જૂન 2021 સુધીમાં આ પ્રોજેક્ટમાં 13,483 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવ્યો છે.
13,483 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવ્યો
આ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાછળ 1.1લાખ કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવા માટે 2023-2024નો સમય નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એકવાર ગુજરાતને મેટ્રો ટ્રેનની બીજી ભેટ મળવાની શક્યતા વ્યક્ત થઇ છે. આ અંગે સરવેની કામગીરી કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા અને જનતાની પરેશાની જોતા વિકાસના કામો સમયસર પૂરા કરવામાં આવે તેવી પણ લોકોની લાગણી રહેલી છે.