ગુજરાત ટાઇટન્સ ફાસ્ટ બોલર યશ દયાલ હાલ ચર્ચાનો વિષય બન્યા. તેને ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી જેના કારણે હંગામો થયો હતો જે બાદ સ્ટોરી ડિલીટ કરી દીધી હતી
ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર યશ દયાલ ચર્ચાનો વિષય બન્યા
તેને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી હતી
હાલ તેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર થવા લાગ્યો
ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી ટીમ ગુજરાત ટાઇટન્સ ફાસ્ટ બોલર યશ દયાલ હાલ ચર્ચાનો વિષય બન્યા છે. આ વખતે એમના બોલિંગને કારણે નહીં પણ બીજા કારણે સમાચારમાં આવી છે. વાત એમ છે કે યશ દયાલના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરવામાં આવી જેણે હંગામો મચાવ્યો.જો કે યશ દયાલે થોડી જ વારમાં તે સ્ટોરી ડિલીટ કરી દીધી હતી પણ તે પછી તેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર થવા લાગ્યો.
જો કે એ બાદ નફરત ફેલાવતી આ ઇન્સ્ટા સ્ટોરી માટે યશ દયાલે ચાહકોની માફી પણ માંગી છે.તેણે લખ્યું કે આ પોસ્ટ ભૂલથી શેર કરવામાં આવી છે. તેણે લખ્યું, 'મિત્રો, હું ભૂલથી શેર કરેલી સ્ટોરી માટે માફી માંગવા માંગુ છું. મહેરબાની કરીને નફરત ન ફેલાવો, આભાર. હું તમામ ધર્મોનું સન્માન કરું છું.'
જણાવી દઈએ કે આ સ્ટોરી ગુજરાત ટાઇટન્સના આ ફાસ્ટ બોલરના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી હતી, જેણે સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો હતો. ચાહકોએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ગુજરાત ટાઇટન્સને પણ ખેલાડી વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
IPL 2023માં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સના આ ફાસ્ટ બોલરે એક ઓવરમાં પાંચ સિક્સર આપી હતી.એ મેચમાં રિંકુ સિંહે ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લી ઓવરમાં KKRને અણધારી જીત અપાવવા માટે પાંચ છગ્ગા ફટકાર્યા હતા.આ પછી યશ દયાલ લાંબા સમય સુધી શોકમાં હતા.આટલું જ નહીં તે લાંબા સમય સુધી ગુજરાત ટાઇટન્સ માટે એક મેચ પણ રમી શક્યો ન હતો.