ગાંધીનગરઃ રાજ્ય સરકારમાં નવનિયુક્ત મંત્રીઓ સોમવારે પદભાર સંભાળશે. શુભ મુહૂર્તમાં ત્રણેય મંત્રીઓ કાર્યભાર સંભાળશે. ત્યારે જવાહર ચાવડાને સહકાર વિભાગ સોંપાય તેવી શક્યતા છે. તો યોગેશ પટેલને શહેરી વિકાસ વિભાગ સોંપાઇ શકે છે અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને પોર્ટ-બંદર વિભાગની જવાબદારી મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગઇ કાલનાં શનિવારનાં રોજ ગુજરાતની રૂપાણી કેબિનેટમાં ત્રણ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં જવાહર ચાવડા, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રી પદ આપવામાં આવેલ છે. ત્રણેય નેતાઓએ આજે રાજભવનમાં શપથ લીધાં હતાં. આ દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહ્યાં હતાં.
ત્યારે મંત્રીમંડળને લઇને ડે. સીએમ નીતિન પટેલે નિવેદન આપતાં જણાવ્યું કે, મંત્રીમંડળમાં 3 મંત્રીઓનો ઉમેરો કરાયો છે. આ મંત્રીમંડળમાં એક કેબિનેટ મંત્રી અને બે રાજ્યમંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મંત્રીમંડળમાં જવાહર ચાવડાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યાં અને યોગેશ પટેલ તેમજ હકુભા જાડેજા (ધર્મેન્દ્રસિંહ જાડેજા)ને રાજ્યકક્ષાનાં મંત્રી બનાવવામાં આવ્યાં છે.
હાલમાં નેતાઓને માત્ર ખાતા જ સોંપવામાં આવ્યાં છે. વિભાગની ફાળવણી આગામી દિવસોમાં કરાશે. સીએમ રૂપાણી આગામી દિવસોમાં તે ખાતાની ફાળવણી કરશે. સાથે તેમણે એમ જણાવ્યું કે, મંત્રીમંડળમાં હજી પણ જગ્યા છે. જ્યારે પણ જરૂર પડશે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. હાલમાં સંસદીય સચિવની નિમણૂંક નથી કરવામાં આવી.