દેવદર્શને જવાનું વિચારતા હોવ તો પહેલા એ જાણી લો કે ગુજરાતનાં કયા મંદિરો ખુલ્લા છે અને કયા બંધ. કોરોનાનાં કારણે બંધ મંદિરોમાં આ રીતે કરવામાં આવી છે દર્શનની વ્યવસ્થા
ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં મંદિરો બંધ
દ્વારિકાધીશ મંદિર 17 થી 23 જાન્યુઆરી સુધી બંધ
ભક્તો માટે ઓનલાઇન દર્શન કરી શકાશે
દેશમાં કોરોનાનાં રોજના બબ્બે લાખ કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં પણ રોજના 10 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે હવે ફરી નિયંત્રણો વધારવામાં આવી રહ્યા છે.
કોરોનાના વધતા કેસના પગલે રાજ્યભર વિવિધ મંદિરોને એક દિવસથી લઈને એક અઠવાડિયા સુધી બંધ કરવામાં આવ્યા છે. અમુક મંદિરોમાં ઓનલાઈન પૂજા અર્ચના કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
દ્વારકા મંદિર બંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ વધતા દેવસ્થાન સમિતિ દ્વારા જગતમંદિર અને બેટ દ્વારકા 17 થી 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આટલા મંદિરો બંધ રહેશે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. એ જ રીતે ચોટીલા મંદિરમાં આરતીમાં લોકોને પ્રવેશ નહિં મળે, પણ દર્શન ચાલુ જ રહેશે, આ દરમિયાન બધા મંદિરોમાં ઓનલાઈન આરતીથી દર્શન થઈ શકશે.રાજયમાં દિનપ્રતિદિન કોરોનાં કેસ વધતા રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં અને ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં 150થી વધારે વ્યક્તિઓ એકત્રિત નહીં થઈ શકશે તેવા નિયંત્રણો તા.22 જાન્યુઆરી સુધી મુકવામાં આવ્યા છે.
સાળંગપુર, ચોટીલા અને પાવાગઢ મંદિરો રહેશે ચાલુ. આ સિવાય સોમનાથ મંદિર પણ ચાલુ હોવાની માહિતી મળી હતી.
પૂર્ણિમા અને સોમવાર સાથે
સોમવારે પૂર્ણિમા પણ હોવાથી આ દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ યાત્રાધામમાં દર્શનાર્થે આવે છે. આથી આ બાબત ધ્યાનમાં રાખી કોરોનાં સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતીના પગલાં રૂપે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ અને કલેક્ટર દ્વારા તા.17 થી 23 જાન્યુઆરી સુધી જગતમંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. જો કે પ્રથમ અને બીજી લહેર દરમિયાન પણ મંદિર બંધ કરવું પડ્યું હતું કારણ કે કોરોનાનાં કેસનો રાફડો ફાટ્યો હતો.
પૂજારી કરશે પૂજા-આરતી
મંદિરમાં પૂજારી પરિવાર નિત્યક્રમ મુજબ ભગવાન શ્રીજીની પૂજા અને આરતી કરશે. આ ઉપરાંત બહુચરાજી મંદીર પણ એક અઠવાડિયું બંધ રહેશે. જોકે ડાકોર અને શામળાજી સોમવારે એક દિવસ માટે બંધ રહેશે.
આ અગાઉ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કેસ એકદમ વધી જતાં જગતમંદિરમાં ભાવિકોને દર્શન માટે પ્રતિબંધ મૂકાયો હતો. પરંતુ જે રીતે ત્યારે ભકતોએ વેબસાઇટના માધ્યમથી ઓનલાઇન દર્શન કર્યા હતાં. એ જ રીતે આગામી તા.17 થી 23 જાન્યુઆરી સુધી ભક્તો દ્વારકાધીશની અધિકૃત વેબસાઈટ મારફત ભગવાન દ્વારકાધીશના ઓનલાઈન દર્શન કરી શકશે.