રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે આજે રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું મોત નિપજ્યું છે. પોરબંદરના 68 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અત્યાર સુધી સ્વાઇન ફ્લૂથી 86 લોકોના મોત થઇ ચૂક્યા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ અંદાજે 340 ઉપર કેસ નોંધાયા છે. જેમાં હાલ 40થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે.
જામનગરમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત્ છે ત્યારે હવે જિલ્લાની જીજી હોસ્પીટલમાં વધુ એક દર્દીનું સ્વાઈન ફ્લૂથી મોત થયુ છે. દ્વારકાની 46 વર્ષની મહિલાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયુ છે. મળતી માહિતી મુજબ હાલમાં 11 જેટલા દર્દીઓ સ્વાઈન ફ્લૂ વોર્ડમાં સારવાર હેઠળ છે. સ્વાઈન ફ્લૂથી આ સીઝનમાં જિલ્લામાં અત્યાર સુધી 21 લોકોના મોત નિપજ્યાં છે.
જ્યારે સુરતમાં પણ સ્વાઇન ફલૂનો કહેર જોવા મળ્યો છે. જેમાં 10 દર્દીઓના કેસ પોઝિટિવ નોંધાયા હતા. જો કે સુરત શહેરમાં અત્યાર સુધીમાં 249 કેસ નોંધાયા છે. જયારે હાલ 58 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 2 દર્દીઓના સ્વાઇન ફ્લૂથી મોત થયા છે.