ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી કુલ 563 લોકોના મોત થઇ ચૂક્યું છે. 28 હજાર 18 મામલા સામે આવ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં અમદાવાદ, જામનગર, સુરતમાં આજે કેટલાક શંકાસ્પદ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોનાના બે શંકાસ્પદ કેસ નોંધાયા
જામનગરમાં કોરોનાનો એક શંકાસ્પદ કેસ નોંધાયો
સુરતમાં કોરોના વાયરસનો બીજો શંકાસ્પદ કેસ
ચીનમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. હવે આ ખતરનાક વાયરસે દુનિયાના અનેક દેશોમાં પણ પોતાનો પગપેસારો કરી લીધો છે. ચીનમાં કોરોના વાયરસના કારણે 500થી વધુ લોકોના મોત થઈ ચૂકયા છે. મોતનો આ સિલસિલો હજુ પણ વણથંભ્યો છે. ત્યારે ગુજરાતને પણ આ મામલે સતર્ક થઇ જવાની જરૂર છે. કારણ કે ભારત સહિત ગુજરાતમાં પણ કેટલાક શંકાસ્પદ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોનાના બે શંકાસ્પદ કેસ નોંધાયા, સિવિલ હોસ્પિટલમાં બંને યુવકોને દાખલ કરવામાં આવ્યા છે. કડીના બે યુવકો થાઈલેન્ડ પ્રવાસેથી પરત ફર્યા હતા. બંને યુવકોમાં અસર દેખાતા રિપોર્ટ કરવામાં આવશે. સિવિલમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે.
જામનગરમાં કોરોનાનો એક શંકાસ્પદ કેસ નોંધાયો
જામનગરમાં કોરોનાનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. કોરોના વાયરસનો ભય જામનગર સુધી પહોંચ્યો છે. ચીનથી આવેલા વિદ્યાર્થીનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. વિદ્યાર્થીને આઇસોલેશન વોર્ડમાં ભરતી કરવામાં આવ્યો છે. જૂરૂરી નમૂના લઇ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. રિપોર્ટ ન આવે ત્યાં સુધી શંકાસ્પદ દર્દીને હોસ્પિલમાં જ રાખવામાં આવશે.
સુરતમાં કોરોના વાયરસનો બીજો શંકાસ્પદ કેસ
સુરતમાં કોરોના વાયરસનો બીજો શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે. ચીનથી MBBSનો અભ્યાસ કરતી યુવતી પરત આવી છે. વાયરસના લક્ષણો દેખાતા તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. તેમજ તેના સેમ્પલ લઇને પુનાની લેબમાં મોકલવામાં આવ્યાં છે. સિવિલથી ભાગેલો દર્દી પણ સ્મીમેરમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બંને દર્દીઓના રિપોર્ટ આવે ત્યાં સુધી આઇસોલેશન વોર્ડમાં રહેશે.
બીજી તરફ કોરોના વાયરસને પગલે કેન્દ્રીય આરોગ્ય ટિમ ગુજરાતમાં આવી છે. કોરોના વાયરસના દર્દીઓ માટે આરોગ્યની ટિમની મદદ લેવામાં આવી છે. વિદેશથી આવતા પ્રવાસીઓની જાણ આપવા હોટેલોને સૂચના દેવામાં આવી છે. તેમાંય ખાસ ચીન, હોંગકોંગ, સિંગાપુરના નાગરિકોની સૂચના આપવી પડશે. તેમજ 33 જિલ્લામાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યાં છે. સરપંચ, ગ્રામ આરોગ્ય સમિતિને પણ અલર્ટ રહેવા આદેશ કરવામાં આવ્યો છે. બી.જે. મેડિકલ કેમ્પસમાં કોરોના વાયરસનો ટેસ્ટ કરી શકાશે. શંકાસ્પદ દર્દીના રિપોર્ટને પુના લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે.