આઝાદી કા અમૃત મહોત્સવ પર ગુજરાતના એક દુકાનદારે ભારતીય સેનાના જવાનો માટે બહાર પાડી એક શાનદાર ઓફર..
આઝાદી કા અમૃત મહોત્સવમાં ભાગ લેવા ગુજરાતીએ કર્યું કંઇક અલગ
દેશના જવાનોનો આભાર માનવા આ ગુજરાતીએ ભર્યું એક અનોખું પગલું
સુરતમાં દુકાનદારે બનાવી તિરંગી મીઠાઈ
15 ઓગસ્ટ 1947ના રોજ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે એ ખુશીમાં આખો ભારત દેશ હાલ આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav 2022) ની ઉજવણીમાં ડૂબી ગયું છે. આખા ભારત દેશમાં હાલ હર ઘર તિરંગા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરેક જગ્યાઓ પર તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે અને લોકો અલગ અલગ રીતે તેની દેશભક્તિ બતાવી રહ્યા છે. એવાંમાં ગુજરાતીઓ કેમ પાછળ રહે? બધાથી બે પગલાં આગળ ચાલનાર ગુજરાતીઓ એ તેની દેશભક્તિ બતાવવા માટે કઇંક અલગ જ પગલું ભર્યું છે. ગુજરાતના એક દુકાનદારે ભારતીય સેનાના જવાનો માટે એક શાનદાર ઓફર બહાર પાડી છે. જે હાલ સોશ્યલ મીડિયા અને દરેક ન્યૂઝ પર છવાઇ રહ્યું છે. ગુજરાતના આ દુકાનદારે જાહેરાત કરી છે કે 'ભારતીય સેનાના જવાનોને તેની દુકાન પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.'
Gujarat | A sweet shop in Surat offers a 50% lifetime discount for Defence personnel
"In view of 'Har Ghar Tiranga' initiative by PM Modi, we've filled our shop with flags so that the elixir of freedom can be filled with more colors in the festival." said the shopkeeper (13.08) pic.twitter.com/GK9JO9Pq7R
'હર ઘર તિરંગા' અભિયાનથી પ્રભાવિત થયો દુકાનદાર
તમને જણાવી દઈએ કે ભારતીય સેનાના જવાનોને આ સ્પેશ્યલ ઓફર આપનાર મીઠાઈની દુકાન સુરતમાં આવેલ છે. સુરતી દુકાનદારનું કહેવું છે કે 'પીએમ મોદીનાં 'હર ઘર તિરંગા' અભિયાનથી અમે અમારી દુકાન રાષ્ટ્રધ્વજથી ભરી દીધી હતી અને સાથે મળીને આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા માટે અને દેશના જવાનોનો અલગ અંદાજમાં આભાર માનવા માટે અમે એક અનોખું પગલું ભર્યું છે.'
"Also, if any Jawan comes to this shop, we will provide a 50% discount on sw eets for them. The officers from Army, Navy and Air Force will be given this offer. This scheme has been implemented for all our brave soldiers, even if they have retired," said the shopkeeper (13.08) pic.twitter.com/KphDumBCi4
દેશના જવાનો માટે 50 ટકા ડીસકાઉન્ટ
સાથે જ એમને કહ્યું હતું કે' જો કોઈ દેશનો જવાન અમારી દુકાન પર મીઠાઈ લેવા આવશે તો તેને અમે 50 ટકા ડિસ્કાઉન્ટ આપશું. આ ઓફર દરેક સેનાના જવાનોને લાગુ પડે છે. ભલે એ જવાન રીટાયર થઇ ગયા હોય એ છતાં પણ અમે તેમને અમારી દુકાનમાં ખરીદી પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપીશું.' આ સાથે જ દુકાનદારે તેની દેશભક્તિ બતાવવા માટે કેસરી, સફેદ અને લીલા કલરની મીઠાઈ તેની દુકાનમાં ગોઠવી હતી.