સુરતના કમિશ્નર સહિત 100 પોલીસકર્મીઓ આજે સાયકલ રેલી સાથે દાંડી આવી પહોચ્યા હતા.
સુરત પોલીસ કમિશનરે કરી દાંડી યાત્રા
સાયકલ સાથે કાઢી રેલી
100 પોલીસકર્મીઓ સાથે પહોંચ્યા દાંડી
મહાત્મા ગાંધીએ દુનિયાને બતાવી આપ્યું લોહિયાણ જંગ કરતા અહિંસા ની લડાઈ થી પણ જંગ જીતી શકાય છે જેની અલગ છાપ દુનિયા પર પડી અને મહાત્મા ની પ્રેરણા વિશ્વભર ના લોકોએ સ્વીકારી અને બાપુને યાદ કરી બાપુની ઐતિહાસિક મંજિલોના દર્શન કરવા પગપાળા કે સાયકલ યાત્રા કરીને નવસારીના દાંડી માં આવી રહ્યા છે જેમાં સુરતના કમિશ્નર સહિત 100 પોલીસકર્મીઓ આજે સાયકલ રેલી સાથે દાંડી આવી પહોચ્યા હતા.
અહિંસાના પૂજારી તો આપણી વચ્ચે રહ્યા નથી પણ તેમના વિચારો આજે પણ અમર થઈ ગયા અને શાંતિના દુત તરીકે જગવિખ્યાત થઈ ગયા તેમની વિચારધારાને અપનાવવા યુવાપેઢી પણ આગળ આવી રહી છે ત્યારે માર્ચ એપ્રિલ અને મેંના દિવસોમાં બાપુએ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રા કરી હતી જેની યાદ તાજા કરાવવા આજે સુરત પોલીસ કમિશનર સહિત પોલીસ કાફલો સુરતથી નવસારીના દાંડી આવી પોહચ્યો હતો અને ચપટી મીઠું જ્યાંથી ઉપાડ્યું હતું ત્યાં દર્શન કર્યા હતા સાથે નવો નિર્માણ માપેલ મેરોરિયલને નિહાળ્યો હતો.
શું હતી એ દાંડી યાત્રા?
મીઠું બનાવવા પર લાગેલા પ્રતિબંધના વિરોધમાં કરવામાં આવી હતી યાત્રા
મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930ના દિવસે સાબરમતી આશ્રમથી દાંડી સુધી કરી યાત્રા
ગાંધીજી અને તેમના અનુયાયીઓ 25 દિવસ બાદ 241 માઈલનું અંતર કાપી 5 એપ્રિલે દાંડી પહોચ્યાં હતા
દાંડીયાત્રાને મીઠાના સત્યાગ્રહના નામથી પણ ઓળખવામાં આવે છે