સુરતમાં લોકોને કોરોના મહામારીમાંથી હાલ થોડી રાહત મળી રહી છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે કામરેજના લોકોને વધુ એક બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે.
કામરેજના કઠોર ગામે ઝાડા ઉલટીના કેસમાં વધારો
વીવેક નગરમાં ઝાડા-ઉલટીના કેસમાં વધારો
ઝાડા-ઉલટીથી બે દિવસમાં કુલ 6 લોકોના થયા મૃત્યું
મળતી જાણકારી પ્રમાણે, કોરોના બાદ કામરેજમાં પાણીજન્ય રોગાચાળાએ માથું ઉંચક્યું છે. કઠોર ગામે એકાએક ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે. હાલ ૫૦થી વધુ લોકો સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
6 દર્દીઓના મોતથી ખળભળાટ
વીવેક નગરમાં ઝાડા-ઉલટીના કારણે વધુ ત્રણ દર્દી સાથે કુલ 6 લોકોના મોત થયા છે. પીવાના પાણીની લાઈનમાં દૂષિત પાણી ભળતા લોકોના મોત થયા હોવાનો પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.
સ્થાનિકોએ લગાવ્યા તંત્રણ પર આક્ષેપ
મેડિકલ ઓફિસરે પણ કોલેરાને કારણે લોકોના મોત થયા હોવાનો સ્વીકાર કર્યો છે. તો સ્થાનિકોનો આરોપ છે કે અમે દૂષિત પાણી અંગે અનેક રજૂઆતો કરી છે. પરંતુ વારંવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે લોકોને આજે મરવાનો વારો આવ્યો છે.
કોર્પોરેશને હાથ ધર્યું યુદ્ધના ધોરણે અભિયાન
તો બીજી તરફ લોકોના મોતને લઇ કોર્પોરેશનના અધિકારીઓ યુદ્ધના ધોરણને કામ કરી રહ્યાં છે. પ્રાથમિક તબક્કે પીવાના પાણીમાં ડ્રેનેજ લાઈની દૂષિત પાણીનું મિશ્રણ થવાથી પાણી જન્ય કોલેરા રોગ ફેલાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
SMCના ડ્રેનેજ વિભાગ, પાણી ખાતું,તેમજ આરોગ્ય વિભાગ સહિતના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.હાલ પાણીના સેમ્પલો, તેમજ પીવાના પાણીમાં ક્લોરીન અને ઓ.આર.એસ પાઉડર સહિતની દવાઓ આપવાની કામગીરી હાથ ધરી હતી.