સુરતમાં મનપા અને કોન્ટ્રાક્ટરોના હમ સાથ સાથ હૈના સુર ફરી એકવાર તાર પકડી રહ્યા છે. દિલ્હી ગેટ ફ્લાય ઓવર ખુલ્લો મુકાયે 4 વર્ષ બાદ કોન્ટ્રાક્ટર રાજકમલે વધારાના રૂપિયાનો ક્લેઈમ કર્યો છે. આ બ્રિજનું કામ ઓલરેડી તેના બજેટ કરતા ઓવર બજેટમાં થયુ છે ત્યારે આ નવી માંગણી બ્રિજની પડતરને રૂા. 90 કરોડ સુધી પહોંચાડી દેશે.
2016માં ફાઈનલ પેમેન્ટ અને ડિપોઝીટ કોન્ટ્રાક્ટરને ચુકવી દીધી હતી.
મનપાએ રૂા. 83.95 કરોડ ચૂકવ્યા છે
બ્રિજનું ટેન્ડર રૂા. 39.56 કરોડનું પાસ થયુ હતુ
દિલ્હી ગેટ ફ્લાય ઓવર બ્રિજ 2015માં ખુલ્લો મુકાયા બાદ ફાઈનલ બીલ ચુકવણું થઈ ગયાં બાદ હવે કોન્ટ્રાક્ટરે સુરત મનપા પાસે વધારાના રૂા. 7.26 કરો નો ક્લેઇમ કર્યો છે.
સુરતનો દિલ્હી ગેટ ફ્લાયઓવર રૂા. 90 કરોડમાં પડશે.
આ બ્રિજનું ટેન્ડર રૂા. 39.56 કરોડનું પાસ થયુ હતુ પરંતુ સુધારા વધારા સાથે મનપાએ રૂા. 83.95 કરોડ ચૂકવ્યા છે. અને બિલ્ડરે હજુ વધુ રૂપિયા માંગ્યા છે. રાજકમલ બિલ્ડરે વધારાના 7.26 કરોડની માગણી કરી છે એટલે મનપાને આ બ્રિજ રૂા. 90 કરોડમાં પડશે.
દિલ્હી ગેટ ફ્લાયઓવરમાં કોન્ટ્રાક્ટરની માંગણીને અગાઉ નકારાઈ હતી
દિલ્હીગેટ ફ્લાય ઓવરના કોન્ટ્રાકટર રાજકમલ બિલ્ડરે વધારાના રૂા. 7.26 કરોડ માગ્યા છે પરંતુ અગાઉનામ્યુનિ. કમિશનરે આ માંગણી નકારી કાઢી હતી. ત્યાર બાદ કોન્ટ્રાક્ટરે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મૂકી હતી. આ રીતે કોન્ટ્રાકટરની માંગણીનો આ પહેલો કિસ્સો છે. મનપાએ 2016માં ફાઈનલ પેમેન્ટ અને ડિપોઝીટ કોન્ટ્રાક્ટરને ચુકવી દીધી હતી.
2015માં ખુલ્લો મુકાયો હતો પુલ
સુરતના દિલ્હી ગેટ પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટેની કામગીરી 2015માં પુરી થઈ ગઈ હતી. રાજકમલ બિલ્ડર્સે આ બ્રિજના ફાઇનલ બિલનું પેમેન્ટ સને-2016માં મેળવી લીધું હતું. અને ડિપોઝીટ પણ પરત લઇ લીધી હતી.
2017-18માં વકીલ મારફતે વધારાની રકમનો ક્લેઈમ કર્યો
2017- 2018માં વકીલ મારફતે પત્ર લખીને રૂા. 7.26 કરોડનો ક્લેઇમ મ્યુનિ.માં રજુ કર્યો હતો. તંત્રએ કાયદાકીય અભિપ્રાય મેળવીને કોન્ટ્રાકટર રાજકમલ રૃબરુ સાંભળ્યા હતા. ત્યારબાદ પૂર્વ કમિશનરે આ માંગણીને નકારી કાઢી હતી અને જણાવ્યુ હતુ કે જો તમને નિર્ણયથી સંતોષ ન હોય તો સ્થાયી સમિતિમાં જાઓ.
કોન્ટ્રાક્ટરે સ્થાયી કમિટીની વાટ પકડી
રાજકમલે વકીલો મારફતે સ્થાયી સમિતિ સમક્ષ સ્ટાર રેઈટ અને પ્રાઈઝ એસ્કેલેશનના રૂા. 7.26 કરોડ રૃપિયાના વળતરની માગણી કરી છે તેના પર સ્થાયી સમિતિ નિર્ણય કરશે. આ પ્રકારની માગણી પાલિકા પાસે સંભવતઃ પહેલી વાર થઈ રહી છે જોકે, મનપાએ પહેલા જ કાયદાકીય અભિપ્રાય મેળવીને વળતરની સ્પષ્ટ ના પાડી દીધી હતી. હવે સ્થાયી સમિતિ કેવા પ્રકારનો નિર્ણય લે તેના પર સૌની નજર રહેશે.