સુરતની કામરેજ સરકારી હોસ્પિટલમાં પોલિયોની રસી મુકાયા બાદ દોઢ મહિનાના બે બાળકોના મોત થવાથી પરિવાર અને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. ઘટના કંઈક એવી હતી કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા પોલિયોની રસી મુકાવ્યા બાદ બાળકોના મોત થયા છે.
કામરેજ આરોગ્ય કેન્દ્રમાં બે બાળકોના મોત
રસી મુકાવતા મોત થયા હોવાનો પરિવારનો આક્ષેપ
બાળકોને પી.એમ.માટે સુરતની સિવિલ લવાયા
સુરતના કામરેજ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રમાં બે બાળકોના મોત થયા છે. રસી મુકવામાં આવતા બાળકોના મોત થયો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. બે પરિવાર નજીકના ગામડેથી રસી મુકવા માટે આરોગ્ય કેન્દ્રમાં આવ્યા હતા. રસી મુક્યા બાદ બન્ને દોઢ માસના બાળકોના મોત થયા હતા. બાળકોના મોત થતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો.
ઘટના કંઈક એવી છે કે, દોઢ મહિનાના બે બાળકોને આગળના દિવસે કામરેજની આંગણવાડીમાંથી ફોન આવ્યો હતો કે તેમના બાળકોને રસી મૂકવાનો સમય થઈ ગયો છે તો કામરેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવીને રસી મુકાવી જાઓ.
પોલિયોની રસી મૂકવા અંગેના આ કોલને પગલે દોઢ મહિનાના બાળકોને લઈને કામરેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડો. મહેન્દ્ર ભાટીએ બાળકોને રસી આપી હતી.
શું કહે છે પરિવાર જનો
અમને શી ખબર કે રસી બાળકોનો જીવ લેશે. આંગણવાડીમાંથી ફોન આવ્યો હતો કે કાલે પોલિયોની રસી મૂકાવી જજો અમે બીજા દિવસે બાળકોને રસી મુકાવી ત્યારે ડોક્ટરે કહ્યુ હતુ કે બાળકો અમે મૂક્યા બાદ બાળકોને તાવ આવશે ચિંતા ન કરતા તેવુ ડોક્ટર તરફથી કહેવામાં આવ્યું હતુ એટલે રાતે કોઈ સારવાર માટે ગયા નહીં પરંતુ સવારે બાળકો ઉઠ્યા જ નહીં અને તેમના મોઢામાંથી ફીણ આવતા હતા. અમે તુરંત જ બાળકોને પાસેની કાશીબા હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરઓએ બાળકોના મોત થયા હોવાનું જણાવ્યુ હતુ.
શું કહે છે ડોક્ટર
બાળકોને પોલિયોની રસી આપનાર સરકારી ડોક્ટર મહેન્દ્ર ભાટીનું કહેવું છે કે પોલિયોની રસી એકલા આ બે બાળકોને જ નહોતી અપાઈ પરંતુ ઘણા બધા બાળકોને રસી આપવામાં આવી હતી. હવે બાળકોના મોત કયા કારણથી થયા છે તે જાણવું જરૂરી છે.
પોલીસે શું કરી કાર્યવાહી
પોલીસે આ અંગે પરિવારનો ઉહાપોહ સાંભળીને બાળકોના મૃતદેહને પોસ્ટર્મોટમ માટે સુરત સિવિલ મોકલી આપવામાં આવ્યો છે. PM બાદડ કોઈની સામે પગલા લેવામાં આવશે.