ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જો કે કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉન બાદ અનલોકમાં નિયમોમાં છૂટછાટ આપવામાં આવી. જેમાં સુરત ખાતેના હીરા ઉદ્યોગને ફરી શરૂ કરવાની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી. જો કે હીરા ઉદ્યોગ શરૂ કરવાની સાથે જ રત્નકલાકારો કોરોના સંક્રમિત જોવા મળ્યાં. જેને લઇને ફરી થોડો સમય હીરા ઉદ્યોગને બંધ કરવામાં આવ્યું. આમ લોકડાઉન તેમજ ત્યારબાદથી હીરા ઉદ્યોગની હાલત કફોડી જોવા મળી રહી છે.
સુરતમાં લોકડાઉનને કારણે હીરા ઉદ્યોગની હાલત કફોડી
50 ટકાથી વધુ રત્નકલાકારો બેરોજગાર
કેન્દ્ર સરકારને પેકેજ જાહેર કરવા કરી માંગ
રાજ્યના ડાયમંડ સીટી ગણાતા સુરતમાં લોકડાઉન બાદ હીરા ઉદ્યોગની હાલ કફોડી જોવા મળી રહી છે. જેમાં 50 ટકાથી વધુ રત્નકલાકારો બેરોજગાર થયા છે. જ્યારે બીજી તરફ મંદીના ભણકારા વચ્ચે રત્નકલાકારોના પગારમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
આમ હાલ કોરોના કાળમાં લોકડાઉન બાદ હીરા ઉદ્યોગની કફોડી હાલતને લઇને રાહત પેકેજની માંગ ઉઠી છે. હીરા ઉદ્યોગ દ્વારા કેન્દ્ર સરકારને પેકેજ જાહેર કરવા માંગણી કરવામાં આવી છે.
સુરતમાં હીરા ઉત્પાદન યુનિટમાં કાચી પડ્યાની ચર્ચા
લોકડાઉનની માઠી અસર સુરતના હીરા ઉત્પાદન યુનિટ પર પડી છે. સુરતના કતારગામનું યુનિટ 35 કરોડમાં કાચી પડ્યાની ચર્ચા છે.,લોકડાઉનને કારણે બંધ થયેલા યુનિટ હજુ ચાલુ નથી થઇ શક્યા જેના કારણે કારીગરોના પગાર પણ બાકી છે. તો લેણદારોનું લીસ્ટ પણ બજારમાં ફરતું થયું છે. સુરત-મુંબઈના 30 લેણદારોએ બેઠક યોજી હતી.