રાજ્યમાં કૃષિકાર અને કૃષિ કૌભાંડકારીઓ માટે સોફ્ટ ટાર્ગેટ બન્યા છે. હજુ હમણા થોડા દિવસ પહેલા જ યુરિયા ખાતરની થેલીઓમાં અપૂરતા વજનનો વિવાદ ઊભો થયો હતો. જે માંડ શમ્યો છે. ત્યારે ફરી પાછો સાબરકાંઠામાં સરકારી સબસીડીવાળું અને કૃષિ વપરાશ માટેનું નીમ કોટેડ યુરિયા ખાતરનું કૌભાંડ સામે આવ્યું છે.
રાજ્યમાં એક તરફ ખેડૂતો (farmers) ને સમયસર યુરિયા ખાતર (fertilizer of Urea) નથી મળતું તો બીજી તરફ ખેતીના ઉપયોગ માટેનો યુરિયા ખાતરનો મોટો જથ્થો બારોબાર ઈન્ડસ્ટ્રીયલ વપરાશ માટે ધકેલી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. સરકારી સબસિડીવાળું ખાતર (Subsidized fertilizer) બારોબાર ઉદ્યોગ ગૃહને પધરાવી દેવાનું કૌભાંડ (scam) ક્યાં થયું પ્રકાશિત તે જોઈએ આ અહેવાલમાં.
રાજ્યમાં ખેડૂતો અને ખેતી સાથે જોડાયેલા મુદ્દાઓના કૌભાંડો એકાંતરે ગાજતા રહે છે. વાત ટેકાના ભાવમાં છેતરપિંડીની હોય કે અપૂરતા પાકવીમાની હોય. વાત મગફળી જેવી ખેત પેદાશોમાં ભેળસેળની હોય કે ખાતરની અધૂરી થેલીઓની વાત હોય. રાજ્યમાં કૃષિકાર અને કૃષિ કૌભાંડકારીઓ માટે સોફ્ટ ટાર્ગેટ બન્યા છે. હજુ હમણા થોડા દિવસ પહેલા જ યુરિયા ખાતરની થેલીઓમાં અપૂરતા વજનનો વિવાદ ઊભો થયો હતો. જે માંડ શમ્યો છે. ત્યારે ફરી પાછો સાબરકાંઠામાં સરકારી સબસીડીવાળું અને કૃષિ વપરાશ માટેનું નીમ કોટેડ યુરિયા ખાતરનું કૌભાંડ સામે આવ્યું છે. હિંમતનગરના પિપલોદી ગામ પાસે આવેલા એક ખેતરની ઓરડીઓમાંથી યુરિયા ખાતરની ગેરકાયદેસર મેળવીને સંગ્રહ કરેલ 620 બેગો મળી આવી છે. ખેતીવાડી વિભાગે આ સ્થળે છાપો મારીને જથ્થો ઝડપી પાડ્યો છે.
યુરિયા ખાતરનું બારોબાર વેચાણઃ
હિંમતનગરના પિપલોદી ગામની સીમમાં આવેલી આ ઓરડીઓમાં નીમ કોટેડ યુરીયા ખાતરના પેકિંગ તોડીને તેને રિપેરિંગ કરવામાં આવતું હતું. રૂ.230ની સબસિડીના ભાવે મેળવી ગેરકાયદેસર સંગ્રહિત કરેલું યુરિયા ખાતર રિપેરિંગ કરીને ઔધોગિક ગૃહોને રૂ.1200માં વેચવામાં આવી રહ્યું હતું. હિંમતનગર ખેતીવાડી અધિકારીઓ દ્વારા પીપલોદ ગામની સીમમાં છાપો મારીને 620 બેગો સીઝ કરીને તેને સીલ કરી દીધી હતી અને ગોડાઉનના માલિક જયેશ મહેતાની પૂછપરછ કરી હતી.
હાલ તો આ ખાતર કૌભાંડમાં ખેતીવાડી અધિકારીઓ દ્વારા ગોડાઉનના માલિકની પૂછપરછ કરાઈ છે. પરંતુ આટલું મોટું કૌભાંડ છતા ખેતીવાડી અધિકારીઓ દ્વારા ગોડાઉન માલિક વિરુદ્દ ફરિયાદ દાખલ કરવામાં કરાયેલી ઢીલ સામે અનેક સવાલ ઊભા થાય છે. ગોડાઉન માલિકે આ ખાતર ખેડૂતો પાસેથી ખરીદ્યું હોવાનું જણાવી ખેતીવાડી વિભાગ મુખ્ય સુત્રધારોનો બચાવ કરતું હોય તેવું લાગે છે.
કૌભાંડ પાછળ અનેક સવાલોઃ
આ સમગ્ર કૌભાંડ આયોજિત રીતે અને એકથી વધુ વ્યક્તિઓથી આચરાયું હોય તેવી શંકા અસ્થાને નથી. શું આટલો મોટો જથ્થો કોઈ એક વ્યક્તિ ખરીદી શકે કે મેળવી શકે? ખાતર ખરીદીમાં એક વ્યક્તિનું નામ દઈને સહકારી મંડળીને બચાવવાના પ્રયાસ તો નથી થઇ રહ્યાં? જી.એસ.ટી વગરનો માલ હોવા છતાં સેલ ટેક્ષ વિભાગને કેમ ના બોલાવાયો? બપોરથી તપાસ ચાલતી હતી તો મોડે સુધી પોલીસ ફરિયાદ કેમ દાખલ ના કરાઈ? શું નીમ કોટેડ ખાતરનો ઈન્ડસ્ટ્રીઝમાં વપરાશ થઈ રહ્યો છે? જેવાં અનેક સવાલો ખેતીવાડી અધિકારીઓ સામે ઊભા થાય છે. ત્યારે હવે ખેતીવાડી વિભાગ આ સમગ્ર કૌભાંડમાં આરોપીઓને છટકબારી આપે છે કે પછી તેમની સામે કાયદાનો ગાળિયો ભીંસે છે તે તો જોવું જ રહ્યું.