રશિયા અને યુક્રેન વચ્ચે જે તણાવ વધી રહ્યો છે તે ચરમસીમાંએ પહોચી ગયો છે. ત્યારે યુક્રેન દ્વારા ભારતના વિદ્યાર્થીઓને દેશ છોડી દેવા આદેશ અપાયો છે. બીજી તરફ એરલાઈન્સ કંપની દ્વારા પણ ભાડામાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
યુક્રેનમાં ફસાયા ગુજરાતી વિદ્યાર્થીઓ
યુક્રેનના વહિવટી તંત્રએ દેશ છોડી દેવા આપ્યો આદેશ
એરલાઈન્સ કંપનીઓએ પણ ભાડામાં કર્યો 3 ગણો વધારો
છેલ્લા ઘણા સમય થી રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી ગયો છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે. તેના પાછળનું કારણ એ છે કે યુક્રેનને અમેરિકાને સમર્થન મળી રહ્યું છે. જ્યારે રશિયા એકલા હાથે લડી રહ્યું છે. બંને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે તેવની સંભવના વર્તાઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે અમુક ગુજરાતી ત્યા ફસાઈ ગયા છ. જે આપણા લોકો માટે એક ચિંતાનો વિષય બન્યો છે.
ગુજરાતના વિદ્યાર્થીઓ ત્યા ફસાયા
રશિયા તેમજ યુક્રેન વચ્ચે જે તણાવ સર્જાયો છે. તેમા ઘણા વિદ્યાર્થીઓ ત્યા ફસાઈ ગયા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરવા માટે યુક્રેન ગયા છે. તેમને પરત આવવું પડે તેવી સ્થિતી સર્જાઈ છે. જેના કારણે તેઓ બારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
દેશ છોડી દેવા કહેવામાં આવ્યું
યુક્રેનના વહીવટી તંત્ર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે. કે વિદ્યાર્થીઓ દેશ છોડીને તેમના દેશમાં જતા રહે. ત્યા રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓ હાલ ચિંતામાં મુકાઈ ગયા છે. તેઓ કેવી રીતે આવે તે તેમના માટે ગંભીર પ્રશ્ન બની ગયો છે. કારણકે એરલાઈન્સ કંપનીઓ દ્વારા ભાડું પણ અઢી થી ત્રણ ગણુ હવે વસૂલવામાં આવી રહ્યું છે.
એરલાઈન કંપનીઓએ ભાડામાં કર્યો વધારો
ઉલ્લેખનીય છે કે એરલાઈન્સ કંપનીઓ દ્વારા પહેલા ભાડુ 35 થી 39 હજાર રૂપિયા વસૂલવામાં આવતું હતં પરંતુ તે ભાડુ હવે 1 લાખ રૂપિયા સુદી કરી દેવામાં આવ્યું છે. જેથી ત્યા રહેલા ગુજરાતી વિદ્યાર્થીઓ પરત આવવા મુશ્કેલી બની ગઈ છે. બીજી તરફ યુક્રેનના વહીવટી તંત્ર દ્વારા પણ વિદ્યાર્થીઓને દેશ છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે.