ગુજરાતનું ભવિષ્ય રોડ ઉપર રખડી રહ્યું છે. તાજેતરમાં જ લેવાયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓ રોડ ઉપર રખડી રહી છે. ત્યારે આ માટે કોણ જવાબદાર છે? તે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
વીરપુર ઓવરબ્રિજ પાસે બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી રોડ પર
ગોંડલના પાટીદળ ગામે પણ મળી આવી ઉત્તરવહી
ધોરણ 10 અને 12 ગુજરાતી ભાષાની લખાયેલી ઉત્તરવહી
મહેસાણા જિલ્લાની ઉત્તરવહી હોવાનું આવ્યું સામે
શિક્ષણ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. શિક્ષણ વિભાગની બેદરકારીથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોડ પર જોવા મળ્યું છે. વીરપુર ઓવરબ્રિજ પાસે બોર્ડની પરીક્ષાની ઉત્તરવાહી રોડ પર જોવા મળી છે. તો ગોંડલના પાટીદળ ગામે પણ ઉત્તરવહી મળી આવી છે. હાલ લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહી રોડ પર જોવા મળી છે.
ઉત્તરવહી મહેસાણા જિલ્લાની હોવાનું પણ સામે આવ્યું
ધોરણ 10 અને 12 ગુજરાતી ભાષાની લખાયેલી ઉત્તરવાહી રોડ પર પડેલી જોવા મળી છે. આ ઉત્તરવહી મહેસાણા જિલ્લાની હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ઉત્તરવહી મળવાના મામલે મહેસાણા જિલ્લા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી સ્મિતા પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે ઉત્તરવહી કેવી રીતે ત્યાં પહોંચી તેનો કોઇ ખ્યાલ નથી. અમારી જવાબદારી પાલા કેન્દ્ર સુધીની છે.
શું છે સરકારી જવાબ?
મહેસાણા જિલ્લામાં ધોરણ 10 માટે પાલા કેન્દ્ર નંદાસણ છે. ધોરણ 12 માટે પાલા કેન્દ્ર ગાંધીનગર છે. અમારી જવાબદારી પાલા કેન્દ્ર સુધી ઉત્તરવહી પહોંચાડવાની છે. અમે પોલીસ બંદોબસ્ત સાથે પાલા કેન્દ્ર સુધી ઉત્તરવહી પહોંચાડી હતી. પાલા કેન્દ્રથી ઉત્તરવહીઓ ઝોનમાં જાય છે. ઉત્તરવહી ઝોનથી મધયસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર જાય છે.
સળગતા સવાલ
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ક્યાં સુધી?
જવાબદારો સામે ક્યારે પગલાં લેવાશે?
ઉત્તરવહી રોડ પર જોવા મળતા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું ?