ગુજરાતમાં ધોરણ 12 અને 10ના વિદ્યાર્થીઓ માટે આજે રાહતના સમાચાર આવી શકે છે. CBSEની બોર્ડ એક્ઝામ કેન્સલ થયા બાદ ગુજરાતમાં પણ પરીક્ષાઓ મોકૂફ રહેશે તેવી ચર્ચા છે.
બોર્ડ પરીક્ષા રદ કરવી કે કેમ તે અંગે સરકાર નિર્ણય લેશે
આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે ત્યારે બેઠકમાં સૌથી પહેલા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ એક્ઝામને લઈને ચર્ચા થશે અને નિર્ણય લેવામાં આવશે. બોર્ડ પરીક્ષા રદ કરવી કે કેમ તે અંગે સરકાર નિર્ણય લેશે. આ અંગે આજે જાહેરાત પણ કરશે.
ગાંધીનગર બેઠકમાં શું શું થશે ચર્ચા?
કેબિનેટમાં બોર્ડની ધો.10-12ની પરીક્ષા અંગે ચર્ચા થશે
બેઠકમાં બોર્ડની પરીક્ષા અંગે લેવાશે નિર્ણય
રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે ચર્ચા થશે
ઓક્સિજન,રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે પણ થશે ચર્ચા
બેઠકમાં હાઇકોર્ટના સૂચનો પર પણ થશે ચર્ચા
બેઠકમાં કોરોના સંક્રમિત મંત્રી-અધિકારી નહીં રહે હાજર
PM મોદીએ લીધો મોટો નિર્ણય
CBSEની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે આજે પીએમ મોદીએ આ પરીક્ષા મુદ્દે મોટી બેઠક બોલાવી હતી જેમાં બોર્ડ અને સરકારના મોટા મોટા અધિકારીઓ તથા શિક્ષણ મંત્રી સામેલ થયા હતા. બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવશે નહીં.
ધોરણ 12ની પરીક્ષા જૂનમાં, ધોરણ 10ના વિદ્યાર્થીઓ થઈ જશે પ્રમોટ
CBSEની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે આજે પીએમ મોદીએ આ પરીક્ષા મુદ્દે મોટી બેઠક બોલાવી હતી જેમાં બોર્ડ અને સરકારના મોટા મોટા અધિકારીઓ તથા શિક્ષણ મંત્રી સામેલ થયા હતા. બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવશે નહીં. ધોરણ 12 માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે પહેલી જૂન બાદ પરિસ્થિતિને જોયા બાદ પરીક્ષા લેવામાં આવશે.
નોંધનીય છે કે આખા ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર ચાલી રહી છે અને આજે તો કેસ એક લાખ 80 હજારને પાર થઈ ગયા છે. દરરોજ કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે આ કાળા કહેર વચ્ચે પરીક્ષાઓ લેવા મુદ્દે સવાલ ઊભા થયા છે ત્યારે પીએમ મોદીએ આ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવાના છે.
મધ્ય પ્રદેશમાં મોકૂફ થઈ ગઈ પરીક્ષાઓ
મધ્ય પ્રદેશમાં પણ કોરોના વાયરસના કહેરના કારણે બોર્ડની પરીક્ષાઓને એક મહિના માટે મોકૂફ કરવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધતાં સતત ચિંતામાં વધારો જોવા મળ્યો છે.
CBSEની પરીક્ષા પર ઉઠી રહી છે માંગ
કોરોના વાયરસની વધતી મહામારીના કારણે CBSE બોર્ડના ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પર ફરી ગ્રહણ લાગે તેવું દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને હવે રાજનેતાઓ દ્વારા આ મુદ્દે માંગ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં 30 એપ્રિલ સુધી શાળાઓ લોક
ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસ વધતાં 30 એપ્રિલ સુધી શાળાઓ સહિતના દરેક શૈક્ષણિક સંસ્થાનોને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાત બોર્ડની પરીક્ષા પણ મે મહિનામાં કરવામાં આવવાની છે જેમાં વાલીમંડળો દ્વારા માંગ કરવામાં આવી છે અત્યારે પરીક્ષાઓ મોકૂફ કરવામાં આવે. આ સિવાય ધોરણ 10 અને 12 સિવાયના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવા માટે ઑલ વાલી મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં બોર્ડની પરીક્ષાઓ મોકૂફ થઈ ગઈ
અન્ય રાજ્યોમાં પરીક્ષાઓને લઈને નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં ઉત્તરપ્રદેશમાં 24 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓને સ્થગિત કરી દેવામાં આવી છે અને મહારાષ્ટ્રમાં પણ બોર્ડની પરીક્ષાઓને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર જૂન મહિનામાં બોર્ડની પરીક્ષા લેવા માટે વિચાર કરી રહી છે.