પ્રદીપસિંહ જાડેજાના આશીર્વાદ લઈ ગૃહરાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળ્યો હતો
ગૃહરાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ સંભાળ્યો ચાર્જ
પ્રદીપસિંહ જાડેજાના આશીર્વાદ લઈ આવ્યો છુઃ હર્ષ સંઘવી
CM ભૂપેન્દ્ર પટેલે મને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું એ માટે આભારઃ હર્ષ સંઘવી
એક બાદ એક ભૂપેન્દ્ર સરકારના મંત્રીઑ ચાર્જ સંભાળી રહ્યા છે. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની રૂબરૂ મુલાકાત લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આશીર્વાદ લીધા હતા જે બાદ પોતાના ડિપાર્ટમેન્ટ નો ચાર્જ સંભાળી તેમણે જવાબદારી આપવા માટે CM ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે આ એક જવાબદારી છે જેને હું સારી રીતે નિભાવિશ
અમિતભાઈ શાહના કારણે હું રાજકારણની પાપા પગલી શીખ્યોઃ હર્ષ સંઘવી
ગૃહરાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી આજે 1:10 કલાકે ચાર્જ સંભાળી લીઘો હતો. પદભાર સંભાળ્યા બાદ મીડિયા સાથે કરેલી વાતમાં તેમણે સમર્થકો અને અધિકારીઑને મોટું સૂચન કર્યું હતું અને કહ્યું હતું કે કોઈ ભેટ કે બુકે લઈને મારા સમર્થકો અહી ન આવે સમય કીમતી છે જેનો હું પૂરેપૂરો ઉપયોગ કરીશ. સાથે જ ગૃહ ડિપાર્ટમેન્ટને અપીલ કરી છે કે જિલ્લા બહારના અધિકારીઓ પણ મંત્રીને મળવા ન આવે. વધુમાં તેમણે ગૃહમંત્રી અમિતશાહને યાદ કરી કહ્યું હતું કે અમિતભાઈ શાહના કારણે હું રાજકારણની પાપા પગલી શીખ્યો છું અને પ્રદીપસિંહ જાડેજાના આશીર્વાદ લઈ આવ્યો છુ. પાર્ટીએ મારા પર મોટો વિશ્વાસ રાખ્યો છે જેના પર ખરો ઉતરવા દિવસ રાત એક કરીશ. આ સાથે જ નજીકના ભવિષ્યમાં જિલ્લાઓમાં પ્રવાસ કરી ગૃહ ખાતાના અધિકારીઑને મળશે તેવો નિર્ણય પણ કર્યો છે.
મંત્રીઑએ પોતાના ખાતાનો ચાર્જ સંભાળી શું કહ્યું?
ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓ ચાર્જ સંભાળી રહ્યાં છે. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે એકપછી એક મંત્રીઓએ ચાર્જ સંભાળી રહ્યાં છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વિનુ મોરડિયા અને કુટિર ગૃહ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલે ચાર્જ સંભાળી લીધો છે. ગૃહ રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે, આ જવાબદારીને હું સારી રીતે નિભાવિશ. નજીકના ભવિષ્યમાં જિલ્લાઓમાં પ્રવાસ કરીશ. તો આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે કહ્યું કે, ગુજરાતની પ્રજાની સુખાકારી માટે કામ કરીશું. માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે છેવાડાના ગામ સુધી કનેક્ટિવિટી રહે અને ગામ સુધી રોડ રસ્તા બને તેને મહત્વ આપીશું તો નાણામંત્રી અને ઉર્જા મંત્રી કનું દેસાઇએ કહ્યું હતું કે સૌર ઊર્જા પ્લાન્ટ માટે સહાય ટુક સમયમાં ચુકવવામાં આવશે