અમદાવાદ: મેઘાણીનગરની ન્યૂ નવચેતન સ્કૂલના ધોરણ 10 વિદ્યાર્થીઓને હજી સુધી હોલ ટિકિટ મળી નથી. ત્યારે હવે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ગઇ કાલે સમગ્ર મામલો ધ્યાને આવ્યો છે. વિદ્યાર્થીઓને લઇને રાજ્ય સરકાર ચિંતિત છે. રાજ્ય સરકાર આ મામલે ઉકેલ લાવવા પ્રયત્નશીલ છે. આ અંગે ભૂપેદ્ર સિંહે વાત કરી છે. આ મામલે સ્કૂલનો વાંક છે અને આ મામલે કેવી રીતે રસ્તો નિકળશે તે જોવાનુ રહેશે.
જો કે હવે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે મેઘાણીનગરની ન્યૂ નવચેતન સ્કૂલના તમામ 32 વિદ્યાર્થીઓન પરીક્ષા આપવા દેવામાં આવશે. તે બાબતે સરકારે મંજૂરી આપી છે. ખાનગી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપશે. આ મામલે રાજ્ય સરકાર દ્વારા શાળાના સંચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
મહત્વનુ છે કે સોમવારથી ધોરણ 10ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. શાળાને મંજૂરી ન હોવા છતા ફી ઉઘરાવવામાં આવી હતી અને સ્કૂલે બોર્ડની મંજૂરી વિના જ પરીક્ષા માટે વિદ્યાર્થીઓના ફોર્મ ભરાવ્યા હતા અને હજી સુધી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી નથી.