ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે આજે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા યોજાશે. સવારે 10થી 12 દરમિયાન ફિઝિકસ અને કેમેસ્ટ્રી તથા બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન બાયોલોજીની જ્યારે બપોરે 3થી 4 દરમિયાન ગણિતની પરીક્ષા લેવાશે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજકેટની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં કુલ 1 લાખ 36 હજાર 156 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં એ ગ્રૂપના 62 હજાર 173 બી ગ્રૂપના 73 હજાર 620 અને એબી ગ્રૂપના 363 વિદ્યાર્થીઓનો સમાવેશ છે.
જેમાં ગુજરાત બોર્ડ CBSE બોર્ડ ICSE બોર્ડ અન્ય બોર્ડના અને નેશનલ ઓપન સ્કૂશલગના વિદ્યાર્થીઓ છે. તો તેમાં CBSE બોર્ડ ICSE બોર્ડના પણ 6 હજારથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ છે. જ્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આ એન્ટરન્સ ટેસ્ટમાં આ વર્ષે મૂળ ગુજરાતના પરંતુ ગુજરાત બહાર અભ્યાસ કરતા હોય તેવા 9 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ગુજરાત સરકારે ગત વર્ષથી ઈજનેરીમાં પ્રવેશ માટે JEE મેઈનના સ્કોરના બદલે ગુજકેટનો સ્કોર સ્વીકાર્યો છે. અમદાવાદ શહેરનું એક અને ગ્રામ્યનું એક પરીક્ષા કેદ્ર સહિત ગુજરાતના 34 મુખ્ય જિલ્લા પરીક્ષા કેદ્રો પરથી પરીક્ષા લેવાશે. એટલે કે એક જ દિવસમાં તમામ મુખ્ય વિષયોની પરીક્ષા લેવાઈ જશે.
ખરેખર ગુજકેટ મુખ્યત્વે એ ગ્રૂપના વિદ્યાર્થીઓ માટે છે પણ બી ગ્રૂપના વિદ્યાર્થીઓ વધુ હોવાથી સરકારે મેડિકલ-પેરામેડિકલ પ્રવેશ માટે વિદ્યાર્થી-વાલીઓને પૂરતુ માર્ગદર્શન જ ના અપાતા મુ{વણ ઊભી થઈ છે. જેથી મેડિકલ-પેરામેડિકલમાં પ્રવેશ ના મળવાની ચિંતા રાખી બી ગ્રૂપના મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજકેટ આપી રહ્યાં છે. એ ગ્રુપની સરખામણીએ બી ગ્રુપમાં 11 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે.