ગાંધીનગર: ગુજરાત રાજ્ય બોર્ડ નિગમના કર્મચારીઓ સરકાર સામે વિરોધ પ્રદર્શન પર ઉતર્યા છે. 7મો પગાર પંચ અને એરયર્સ સહિતના માગણીઓ સાથે આંદોલન પર ઉતર્યા.
સાથે જ બોર્ડ નિગમના કર્મચારીઓને સરકારી કર્મચારી ગણવાની પણ માગણી કરી છે. આ માગણી સાથે કર્મચારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે અને 22 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે.
જો કે કર્મચારીઓએ માગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.