ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે રાજ્યની STમાં મુસાફરી કરતા પાસ રિન્યુ કરાવાને લઇને કાર્યવાહી બંધ કરી દેવામાં આવી હતી. જો કે હવે STમાં મમુસાફરી કરતા પાસ ધારકો માટે સારા સમાચાર આવ્યાં છે.
STમાં મુસાફરી કરતા પાસ ધારકો માટે સારા સમાચાર
આજથી પાસ માટેની કામગીરી શરૂ કરાઈ
પાસ રિન્યુ કરવા અને નવા પાસ બનાવવાની કામગીરી શરૂ કરાઈ
ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ST વિભાગમાં રોજ અપ-ડાઉન કરતા મુસાફરો માટે સારા સમાચાર આવ્યાં છે. આજથી રાજ્યમાં પાસ માટેની કામગીરી કરાઇ શરૂ કરી દેવાઇ છે.
ST વિભાગે પાસ રિન્યુ તેમજ નવા પાસ બનાવવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. ST ખાતે સામાજીક અતર જળવાઇ એ રીતે પાસની મેળવવાની વ્યવસ્થા કરાઇ છે. હાલ કોરોનાના કારણે પાસની કામગીરી બંધ હોવાથી પાસધારકોને પણ પૈસા ખર્ચવા પડતા હતા.
રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. જેના કારણે ST વિભાગ દ્વારા રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ગીતા મંદિર, રાણીપ એકસપ્રેસ હાઈવે બસ સ્ટોપ પર બહારથી આવતા મુસાફરોના ટેસ્ટિંગ થઈ રહ્યા છે. શહેરમાં વધુ સંક્રમણ ન ફેલાય તે માટે રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.