ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યના લોકોમાં કોરોનાને લઇને ડરનો માહોલ પણ યથાવત છે. લોકો બને ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છે. ત્યારે રાજ્ય ST નિગમ માટે ચિંતાના સમાચાર આવી રહ્યાં છે. મુસાફરોમાં ડરના કારણે ST બસમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છે.
રાજ્યમાં લોકોમાં હજૂ પણ કોરોનાનો ડર
રાજકોટથી STમાં મુસાફરી કરવામાં લોકોને ડર
રાજકોટથી અમદાવાદ-સુરતના મુસાફરો ઘટ્યાં
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં લોકોમાં હજૂ પણ કોરોના વાયરસને લઇને ડરનો માહોલ છે. ત્યારે લોકોને ST બસમાં મુસાફરી કરવામાં કોરોના થવાનો ડર લાગી રહ્યો છે.
આમ રાજ્યમાં ST વિભાગમાં કોરોનાને લઇને વારંવાર બસ કેન્સલ કરવી પડી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. ST વિભાગ દ્વારા રાજ્યમાં પેસન્જર ન મળતાં ટ્રીપ રદ્દ કરવાના અહેવાલ પણ પ્રાપ્ત થઇ રહ્યાં છે.
ત્યારે રાજ્યમાં સૌરાષ્ટ્ર ખાતે રાજકોટથી અમદાવાદ-સુરતના મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક સમયે રાજકોટથી ST બસમાં મુસાફરોનો ઘસારો જોવા મળતો હતો. ત્યારે હવે મુસાફરો ઘટતાં રાજકોટથી 4 ST બસ કેન્સલ કરવામાં આવી છે.