ગુજરાત ST વિભાગ માં દોડતી બસો ની ખખડધજ હાલત ની પોલ ખોલતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં પૂર ઝડપે રોડ પર દોડતી એક એસટી બસનું ટાયર નિકળી જતા બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
ચાલુ વાહને ટાયર નીકળી ગયુ
ઘટનાની જાણ થતા જ ST તંત્ર દોડતું થઈ ગયું
ડ્રાઈવરની સમયસૂચકતાને પગલે થયો બચાવ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ધરમપુર રોડની આ ઘટના છે. જ્યાં નાસિકથી વલસાડ પરત આવતી એસટી બસનું ટાયર અચાનક જ નીકળી ગયું હતું. પૂર ઝડપે દોડતી બસનું ટાયર નિકળી જતા બસમાં સવાર તમામ મુસાફરોનો જીવ તાળવે ચોંટયા હતા.
ડ્રાઈવરની સમયસૂચકતાને પગલે થયો બચાવ
જોકે બસ ચાલક ની સમયસૂચકતાને કારણે બસચાલકે બસ પર કાબુ મેળવી રોડની સાઇડમાં ઉભી રાખી દીધી હતી.અને એક મોટી દુર્ઘટના ટળી હતી. મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ લાંબા રૂટ પર દોડતી ગુજરાત ST વિભાગ ની ખરાબ હાલત ને લઈ અકસ્માતના અનેક બનાવો બની ચૂકયા છે.
ઘટનાની જાણ થતા જ ST તંત્ર દોડતું થઈ ગયું
ફરી એક વખત એસટી વિભાગ ની બસોની ખખડધજ હાલત ની પોલ ખોલ તો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. જો કે આ ઘટનામાં કોઈપણ મુસાફરને ઇજા કે જાનહાનિ નહીં થતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ST તંત્ર દોડતું થઈ ગયું હતું