ગુજરાત સરકારે આંતરરાજ્ય પરિવહનમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રૂટની ST બસોને કરી કાર્યરત, કોરોનાની મહામારીના પગલે અન્ય રાજ્યના રૂટોને કર્યા હતા બંધ
રાજ્ય સરકારે આંતર રાજ્ય પરિવહનને ફરી આપી મંજૂરી
મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રૂટની બસો ફરી શરૂ થઈ
કોરોનાની મહામારીને પગલે બંધ કર્યા હતા એસ.ટીના રૂટ
રાજ્ય સરકારે આંતર રાજ્ય પરિવહનને ફરી મંજૂરી આપી દીધી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રૂટની ST બસો ફરી શરૂ થઈ ચૂકી છે. કોરોનાની મહામારીને પગલે એસ.ટી બસના રૂટો બંધ કર્યા હતા. જેના કારણે લોકોને ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હતો.
મહત્વનું છે કે, 31 મેના દિવસથી જ ગુજરાતની એસ.ટી.બસમાં મુસાફરીની છૂટ મળી હતી. હવે એસ.ટી.બસમાં 75 ટકા સિટિંગ કેપેસીટી સાથે મુસાફરી થઈ શકશે. 50 ટકાની જગ્યાએ 75 ટકાની કેપેસિટી રાખવામાં આવી છે. સવારે 6થી રાત્રે 9 વાગ્યા સુધીની બસને મુસાફરીની છૂટ અપાઈ છે. મહત્વનું છે કે કોરોના સંક્રમણના કારણે GSRTC દ્વારા સિટિંગ કેપેસિટી ઘટાડી દેવાઈ હતી. અને ઓછા મુસાફરો સાથે બસ ચાલી રહી હતી. તો બીજી તરફ લોકડાઉનના કારણે પણ બસના રૂટોમાં ઘટાડો થયો હતો.
અનેકવાર તમારે સવારમાં વહેલા કે કોઇ પણ સમયે બહાર ગામ જવું હોય તો તમે મોટાભાગે એસટીબસનો ઉપયોગ કરો છો. આ સમયે તમને ખ્યાલ હોતો નથી કે તમને કયા સમયે બસ મળશે. સાથે મુશ્કેલી એ રહે છે કે તમારા વિસ્તારના બસ ડેપોના નંબર્સ પણ તમારા હાથવગા હોતા નથી કે તમે તરત જ ફોન કરીને બસનો સમય પૂછી શકો. આજે અમે આપને માટે ગુજરાતએસટી બસ ડેપોના નંબર લાવ્યા છીએ. જેનાથી તમે તરત ફોન કરીને બસનો ટાઈમ જાણી શકો છો અને તમારો સમય પણ બચાવી શકો છો.