સ્મૃતિ ઈરાનીએ નવસારી જિલ્લામાં જનસભાને સંબોધિત કરીને કોંગ્રેસને ચાબખા માર્યા
ગુજરાત અને અહીંના લોકો પ્રત્યે કોંગ્રેસની નફરતભરી ભાવના રહી છે
રાહુલ ગાંધીમાં હિંમત હોય તો ગુજરાતમાંથી ચૂંટણી લડી દેખાડે.
રાહુલ ગાંધીએ ગુજરાતમાં સરદાર પટેલની યાદમાં સ્ટૈચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદ સ્મૃતિ ઈરાનીએ નવસારી જિલ્લાના વાંસદાનગરમાં સ્થાનિક ચૂંટણી પ્રચાર માટે એક જનસભાને સંબોધિત કરી હતી.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ગુજરાત અને અહીંના લોકો પ્રત્યે કોંગ્રેસની નફરતભરી ભાવના રહી છે કારણ કે રાહુલ ગાંધી અને તેમની પાર્ટીએ ગુજરાતમાં સરદાર પટેલની યાદમાં સ્ટૈચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
સ્મૃતિ ઈરાનીએ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ દ્વારા આસામમાં એક ચૂંટણી રેલીમાં કથિત રીતે કરાયેલી ટીપ્પણીને ટાંકતા, જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં તેમની પાર્ટી સત્તામાં આવતા ગુજરાતના ચા માલિકોને ચાના બગીચાના શ્રમિકોને દૈનિક રોજી વધારવાનું કહેશે.
જનસભાને સંબોધિત કરતા ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીએ તાજેતરની આસામની રેલીમાં કહ્યું હતું કે તેઓ ગુજરાતના નાના વેપારીઓના ખિસ્સામાંથી પૈસા કઢાવશે.
હું રાહુલ ગાંધીને પડકાર આપું છું કે જો તેમનામાં હિંમત હોય તો તેઓ ગુજરાતમાંથી ચૂંટણી લડે તો તેમનો બધો વહેમ ઉતરી જશે. રાહુલે કહ્યું હતું કે જો કોંગ્રેસ આસામમાં સત્તા પર આવશે તો તે ચાના બગીચાના શ્રમિકોના દૈનિક ભથ્થામાં વધારો કરશે.