ગુજરાતમાં રંગેચંગે શરૂ કરવામાં આવેલી અન્નપૂર્ણા યોજના બંધ કરી દેવામાં આવી છે. અનલોક થયા બાદ ધીરેધીરે રાબેતા મુજબ કામ શરૂ થઈ ગયુ છે ત્યારે મજુરો દ્વારા આ યોજના ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે આ અંગે કોંગ્રેસના કાર્યકર્તા મેદાના ઉતર્યા છે.
કોરોનાકાળમાં શ્રમ વિભાગની અન્નપૂર્ણા યોજના બંધ
CM દ્વારા શરૂ કરાયેલી અન્નપૂર્ણા યોજના બંધ
અન્નપૂર્ણા યોજના બંધ થતા શ્રમિકોની મુશ્કેલી વધી
કોરોનાકાળમાં શ્રમ વિભાગની અન્નપૂર્ણા યોજના બંધ કરાઇ છે. CM દ્વારા શરૂ કરાયેલી અન્નપૂર્ણાન યોજનાે બંધ કરી દેવાઇ છે.
અન્નપૂર્ણા યોજના બંધ થતા શ્રમિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ યોજના થકી માત્ર દસ રૂપિયામાં ભરપેટ ભોજન મળતું હતું. મહામારીના સમયમાં શ્રમિકો દ્વારા અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવા માગણી કરાઇ છે. આ મુદ્દે શ્રમિકો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મેદાન ઉતર્યાં છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1035 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,78,633 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 91.16 ટકા થયો છે. તો છેલ્લા 24 કલાકમાં 51,534 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 63,65,202 પર પહોંચ્યો છે.
1321 દર્દીઓ થયાં સાજા, 4 દર્દીઓના મોતઆજે 1321 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,62,846 પર પહોંચ્યો છે. આજે 4 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,751 પર પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 1, ભરૂચમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે એક્ટિવ કેસ 12,036 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.
આ 3 મહાનગરોમાં સૌથી વધુ કેસ
રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 210, અમદાવાદમાં 175, વડોદરામાં 114 અને રાજકોટમાં 109નવા કોરોનાના કેસ નોંધાયા છે. જોકે જામનગર, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર અને પાટણમાં કોરોનાના કેસનો ઘટાડો જોવા મળી રહ્યો છે. પોરબંદર અને ડાંગમાં 1-1 કેસ નોંધાયા છે.
તો દેશ-વિદેશના કેટલાક વૈજ્ઞાનિકોએ આશંકા દર્શાવી છે કે શિયાળાની ઋતુમાં વિશ્વએ કોરોના વાયરસની 'બીજી લહેર'નો સામનો કરવો પડી શકે છે જે પહેલાંથી ઘણો વધારે ઘાતક હશે. તેથી હવે કોરોનાથી વધુ સાવચેત રહેવાનો સમય આવી ચૂક્યો છે.