ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો વધુ એક છબરડો સામે આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-12ના ફિઝિક્સના પુસ્તકમાંથી એક આખું જ પ્રકરણ જ ગાયબ કરી દીધું છે.
રાજ્ય પાઠયપુસ્તક મંડળે ધોરણ ૧૨ સાયન્સમાં આ વર્ષથી NCERT બેઈઝડ નવા પાઠયપુસ્તકો અમલી બનાવ્યાં છે. જેના ભાગરૂપે ફીજીક્સનુ પુસ્તક પણ બદલાયું છે, જેમાં શિક્ષણ વિભાગ દ્વારા 44 પાનાનું આખુ ચેપ્ટર જ ગાયબ કરવામાં આવ્યુ છે.
ગુજરાતી માધ્યમના પુસ્તકમાંથી એક આખું 15 નંબરનુ કમ્યુનિકેશન સિસ્ટમ નામનુ પ્રકરણ જ ગાયબ કરી દેવાયું છે. તે છપાયું જ નથી. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને 15 નંબરના પ્રકરણ વિનાના જ પુસ્તકો અપાયા છે.
આખા પુસ્તકમાં કમ્યુનિકશન સિસ્ટમ નામનુ પ્રકરણ ક્યાંય છે જ નહી. આથી જ અંગ્રેજી માધ્યમના પુસ્તકના બંન્ને ભાગના કુલ પાના 558 થાય છે. જ્યારે ગુજરાતી માધ્યમના પુસ્તકમાં 34 પાન ઓછાં હોવાથી તેમાં કુલ પાના 524 જ છે. પ્રૂફ રીડીંગમાં કોઈ ક્ષતિ રહી જવાને કારણે કે પ્રિન્ટીંગમાં કોઈ ક્ષતી રહી જોવાને કારણે આ છબરડો સર્જાયો હોવાનું જાણકાર શિક્ષકોનું માનવું છે.