ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શાળાઓની ફીના મુદ્દે સરકાર અને વાલીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ દ્વારા 25 ટકા ફી માફીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે શિક્ષણમંત્રીની આ જાહેરાતને વાલીઓએ મજાક ગણાવી છે. વાલીઓએ 50 ટકા ફી માફીની માંગ કરી હતી. વાલીઓએ આ ફી માફીને લોલીપોપ ગણાવી રહ્યાં છે.
અમદાવાદમાં સરકારની 25 ટકા ફી માફીની જાહેરાત પર નારાજગી
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં 25 ટકા ફી માફીની જાહેરાત પર વાલીઓએ નારાજગી વ્યક્ત કરી છા. સરકારની આ જાહેરાતને વાલીઓએ લોલીપોપ ગણાવી છે. 50 ટકા ફી માફીની માંગ સામે સરકારે વાલીઓને છેતર્યાં છે. સરકારની જાહેરાતને નકારતા વાલીઓએ કાયદાકીય લડત આપવાની તૈયારી દર્શાવી છે. વાલીઓએ ગાંધી ચીંધ્યા માર્ગે આગળ વધીશું, ફી મુદ્દે સરકાર જાહેરાત કરી પૂર્ણ વિરામ ન સમજે. સરકારને ચૂંટણીમાં વાલીઓ જવાબ આપશે.
સુરતમાં વાલીઓમાં રોષ 25 ટકા ફી મંજૂર નહીં
ગુજરાત સરકારે વાલીઓને સ્કૂલ ફીમાં 25 ટકા ફી માફી કરી છે. ત્યારે હવે વાલીઓએ આ ફી માફીને લોલીપોપ ગણાવી રહ્યા છે. વાલીઓએ માગ કરી છે કે 50 ટકા ફી માફી કરવામાં આવે. જો ફી માફી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ વાલીઓએ તૈયારી દર્શાવી છે. સરકારે વાલીઓના હિત વિરુદ્ધ નિર્ણય કર્યો છે.
સુરતમાં વાલીઓએ પ્લે કાર્ડની હોળી કરીને વિરોધ નોંધાવ્યો છે. વાલીઓએ માગ કરી છે કે માફિયાઓનું દેવુ માફ કરવામાં આવતું હોય તો અમારું કેમ નહીં. સરકારે 1.5 કરોડ વાલીઓને સાચવ્યા નથી.
રાજકોટમાં વાલીઓએ કહ્યું શાળા તરફેણ નિર્ણય
સરકારની ફી માફીની જાહેરાતથી રાજકોટ વાલીઓએ નારાજગી વ્યકત કરી. 25 ટકા ફી માફીએ માત્ર એક લોલીપોપ છે. વાલીઓએ જણાવ્યું કે 100 ટકા ફી માફી કરવી જોઇએ. સરકારનો આ નિર્ણય શાળાની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું. વાલીઓએ કહ્યું આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.
વડોદરમાં ફી માફી મુદ્દે વિરોધ
રાજ્ય સરકારે સ્કૂલ ફીમાં 25 ટકા માફીની જાહેરાત કરી છે.. ત્યારે આ મામલે હવે વડોદરામાં વાલીઓએ સરકાર વિરુદ્ધ રોષ ઠાલવ્યો છે. વાલીઓએ આક્ષેપ કર્યો કે સરકાર શાળા સંચાલકોના ખોળે બેસી ગઈ છે. 25 ટકા ફી ઘટાડો અમને માન્ય નથી. વાલી મંડળ છે જ નહીં તો અત્યાર સુધી સરકારે બેઠકો કેમ કરી.. હવે છેલ્લી ઘડીએ સરકારને વાલી મંડળના રજીસ્ટ્રેશનની વાત કેમ યાદ આવી છે. વાલીઓએ માગ કરી છે કે સરકાર શાળાઓને સ્પષ્ટ આદેશ આપે અને 50 ટકા ફી માફી કરવામાં આવે.
ફી મુદ્દે નરેશ શાહની પ્રતિક્રિયા
રાજ્ય સરકારની 25 ટકા ફી માફીની જાહેરાત મુદ્દે નરેશ શાહનું નિવેદન સામે આવ્યું છે. રાજ્ય સરકારે 25 ટકા ફી માફ કરી તે ઓછી છે. વાલીમંડળ આ અંગે ફરીથી બેઠક કરશે. અમે ફરીથી હાઇકોર્ટમાં જઇ શકીએ છીએ.
વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પેટલનું નિવેદન
રાજ્ય સરકાર દ્વારા 25 ટકા ફી માફીની જાહેરાત પર વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલે નિવેદન આપ્યું છે. સરકાર વાલીઓની અવગણના કરી રહી છે. શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી માફી કરવી જોઇએ. સરકારની જાહેરાત લોલીપોપ સમાન છે.