રાજ્યમાં 8 જૂન ગઈ કાલથી ધોરણ-1થી 9ની પ્રવેશ પ્રક્રિયા ક્રમશઃ ચાલુ થઈ છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હોમ લર્નિંગ પ્રક્રિયા વિદ્યાર્થીઓ માટે શાળાએ જવાનો આદેશ ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે. 8 થી 13 જૂન સુધી વિદ્યાર્થીઓને પુસ્તકો મળી જાય તેવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ગોઠવવામાં આવી રહી છે. માત્ર શિક્ષકોએ જ શાળાએ આવવાનું શરૂ કરાયું છે.
માત્ર શિક્ષકો સ્ટાફની હાજરી સાથે શાળાઓમાં કામગીરી ચાલશે
શાળાનાં પુસ્તકાલય ખુલ્લાં રાખવાનાં રહેશે
વિદ્યાર્થી ઘરે બેસી અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઓનલાઈન, ટેલિવિઝન, મોબાઈલથી પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવશે. 15 જૂનથી ડીડી ગિરનાર પર અભ્યાસક્રમ ચાલુ કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ વિભાગે આ બાબતે નિર્દેશ આપ્યા હોવાનું જાણવા મળે છે.
શિક્ષકો માટે શાળાનો સમય હાલ પૂરતો શાળામાં કામકાજનો સમય સવારે 7.30થી 12.30નો રાખવામાં આવેલ છે. બાળકોને ઓનલાઇન આપવામાં આવેલા શિક્ષણના ટેસ્ટ પણ શિક્ષકો દ્વારા જ લેવામાં આવશે. વિદ્યાર્થીઓને વેકેશનમાં આપવામાં આવેલાં લેશનની ચકાસણી પણ શિક્ષકો દ્વારા કરવામાં આવશે. હોમ લર્નિંગના કન્સેપ્ટ સાથે શાળાઓમાં શુષ્ક માહોલમાં વિદ્યાર્થીઓ વગર શિક્ષકોની હાજરી સાથે શરૂ થઇ છે.
શાળાનાં પુસ્તકાલય ખુલ્લાં રાખવાનાં રહેશે
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હવે છ વર્ષની ઉંમર ધરાવનાર બાળકોને જ પ્રવેશ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓને ઈ મેલ કરીને આ બાબતે જાણ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓની ઉંમર છ વર્ષ પૂર્ણ થઇ હોય ત્યાર બાદ જ તેઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. આરટીઈ એક્ટમાં કરેલા ફેરફાર અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક પણ બાળક પુસ્તક વગરનું ન રહે તે જોવાની ફરજ શિક્ષકોને સોંપાઈ છે. શિક્ષકોએ શાળામાં હાજર થઈને શાળા સ્વચ્છતા, રેકર્ડ, વર્ગીકરણ, નવા અભ્યાસ માટેનાં આયોજન, ઓનલાઇન શિક્ષણ પદ્ધતિઓને વાલી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું રહેશે. શાળાનાં પુસ્તકાલય ખુલ્લાં રાખવાનાં રહેશે.