રેવાની ભરુચ ઉપર રીસ ઉતરી હોય તેવો ઘાટ થયો છે. નર્મદા ગોલ્ડન બ્રિજ પાસે 31 ફુટે વહી રહી છે જેને પગલે 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ પગલે તંત્ર દ્વારા બચાવ કામગીરી માટે સ્થાનિક પોલીસ અને NDRF, SDRFની ટીમ તહેનાત રાખવામાં આવી છે.
- નદીમાં 7.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ
- પૂરને પહોંચી વળવા NDRFની 3 ટીમ, SDRF અને સ્થાનિક પોલીસ સ્ટેન્ડ ટુ
- 2004, 2008, 2013ના પણ સર્જાઈ હતી ભયંકર પરિસ્થિતિ
મધ્યપ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે આ વર્ષે નર્મદા ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની જળસપાટી 137.05 ફૂટે પહોંચી છે. જ્યારે નદીમાં 7.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ભરૂચમાં સૌથી વધુ અસર થઈ રહી છે. ભરૂચમાં 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ છે. (National disaster Response Fund) NDRFની 3 ટીમ સ્ટેન્ડ બાય છે. જ્યારે (State Disaster Response Fund)SDRF અને સ્થાનિક પોલીસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે
ભરૂચમાં નિંચાણવાળા વિસ્તારોના ગામ વેજલપુર,બહુચરાજી,ઓવરા વિસ્તારના મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકો ઘર અને ગામ મૂકીને સલામત સ્થળની તલાસમાં નીકળી ગયા છે વળી કેટલાક લોકોએ વરસતા વરસાદમાં મકાનની છત ઉપર આશરો લેવો પડી રહ્યો છે.
ભરરૂચ રેવાના રૌદ્ર સ્વરૂપનો કાયમ ભોગ બને છે
ભરૂચમાં નર્મદા નદી ભયજનક વળોટીને વહી રહી છે. નદી બે કાંઠે થતા આસપાસના વિસ્તારોમાં પુરની સ્થિતિનું નિર્માણ થયુ છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી 31.25 ફૂટે વહી રહી છે. જેના કારણે આસપાસના ગામડાઓ અને ખેતરોમાં નર્મદાના પાણી ઘુસી ગયા છે. ઉભા પાક ઉપર પાણી ફરી વળ્યા છે. જેના કારણે જિલ્લામાંથી 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભરૂચના જૂના કાંસિયા નોગામ, છાપરા, જૂના ગામ, બોરભાઠા બેટ, ખાલપીયા, સક્કરપોર ભાઠા, જૂના પૂનગામ સહિત અનેક ગામડાઓમાં નર્મદાના પાણી ઘુસી ગયા છે. તો બીજી તરફ તંત્ર પણ ખડેપગે છે NDRFની 3 ટીમ સ્ટેન્ડ બાય છે. જ્યારે SDRF અને સ્થાનિક પોલીસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
2019 પહેલા પણ ભરૂચ માથે પૂરના ઓળા આવ્યા'તા
ભરૂચ જિલ્લામાં 1992 થી નર્મદા નદીમાં પ્રતિ 5 વર્ષે પૂર થી સ્થિતિ ઉદ્દભવી રહી છે. 1998-99માં બાદ 2004, 2008, 2013 નર્મદા નદીમાં પૂર આવ્યું હતું ત્યારબાદ હવે 2019માં ફરી નર્મદા નદીમાં પૂર ની સ્થિતિ સર્જાય છે. અને ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીને 30 ની સપાટી વટાવી 31.25 ફૂટ સુધી પહોંચી રહી છે.
2004, 2008, 2013 અને હવે 2019માં નર્મદા નદીએ ગોલ્ડન બ્રિજ પર 30 ફૂટની સપાટી વટાવી હતી. 2004આ પણ નર્મદા નદીમાં પૂર વખતે આમાલાખાડી ઓવરફ્લો થઇ હતી. તો 2008 અને 2013માં પણ આમલાખાડી ઓવરફ્લો થઇ હતી. રાતથી વરસી રહેલા વરસાદને પગલે આમાલખાડી ઓવર ફ્લો થવાને કારણે માર્ગો પર પાણી ફળી વળ્યાં છે.
ડેડીયાપાડના સાગબારામાં ભારે વરસાદને કારણે 25 ગામો સંપર્કવિહોણા
ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદ ને પગલે નદી નાળા છલકાઈ ગયા છે અને જેમાં સેલંબા થી પાંચ પીપરી ગામ વચ્ચે આવતું એક નાળું ખાડીમાં પાણી આવવા થી બેસી જતા વચ્ચે થી તૂટી ગયું છે. આખો દિવસ પાણી વચ્ચે થી વહેતુ હતું એટલે અવર જવર બંધ રહી હતી અને નાળું સદંતર ધોવાઈ જતા 25 ગામોને સાથે સંપર્ક તુટી ગયો હતો. ઘોડમૂંગ, નાની દેવરૂપણ, પાટલા મહુ , બોરદા સહીત અંદરના નાના મોટા 25 જટાળા ગામો ને અસર પહોંચી છે. આ ઘટનાને કારણે હજારો લોકોને અસર પહોંચી છે.