એકબાજુ ગુજરાત સરકાર સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાના અવસરને ઉજવવાની તૈયારીઓ કરી રહી છે ત્યારે ડેમમાં જળસ્તર વધવાને કારણે 178 ગામ ડૂબવાની આશંકા સેવાઈ રહી છે. સરદાર સરોવર ડેમનો આ આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
સુપ્રીમે કહ્યુ જલદી કરશે સુનાવણી
ધાર, બડવાની, ખરગોન વગેરે ગામ તો સમુળગા પાણીમાં ગરકાવ
જળસ્તર વધવાને કારણે 178 ગામો ડુબવાની શક્યતા
કોણે કરી અરજી
આ અરજી નર્મદા બચાવો આંદોલનના સભ્યો દ્વારા અરજી કરવામાં આવી છે. તેમણે નર્મદા ડેમમાં પાણી વધારવાના મામલે સુપ્રીમમાં ધા નાંખી છે. આ આંદોલનના સભ્યોનું કહેવું છે કે, ડેમમાં સંગ્રહ કરવામાં આવી રહેલા પાણીને કારણે મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ગામડાઓમાં ડુબી જશે. જેમાં ધાર, બડવાની, ખરગોન વગેરે ગામ તો સમુળગા પાણીમાં ગરકાવ થઈ જશે.
શું કહ્યુ સુપ્રીમે
સુપ્રીમે આ મામલે અરજદારને સંબધિત પક્ષો એટલે કે જે સરકારી વિભાગ આ સાથે જોડાએલા છે તેમને અરજીની કોપી આપવાનું જણાવ્યું હતું અને વહેલામાં વહેલી તકે આ મામલે સુનાવણી કરવાનું પણ આશ્વાસન આપ્યું હતુ.
કોણે લીધો છે નર્મદા ડેમનું જળસ્તર વધારવાનો નિર્ણય
ગુજરાત સરકારે નર્મદા ડેમનું જળસ્તર 138 મીટર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. અને આ ઐતિહાસીક ક્ષણોની ઉજવણીની પણ તૈયારી ગુજરાત સરકારે કરી રાખી છે. એટલે સીધીરીતે અરજદારની અરજીમાં ગુજરાત સરકાર પણ સંબધિત પક્ષમાં સામેલ છે.