સાણંદ તાલુકાના ઝોલાપુર ગામની પ્રાથમિક શાળામાં હડકંપ સર્જાયો છે વાત જાણે એમ બની છે કે, શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ એક સાથે એલસીની માંગ કરી છે. આ શાળામાં 700 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
એકાએક ગ્રામ્યજનોના ટોળે ટોળા શાળામાં પહોંચી જતાં હોબાળો મચી ગયો હતો. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 700થી પણ વધુ બાળકોના વાલીઓ શાળાએ પહોંચી જઈને બુમાબુમ કરી મુકી હતી. શાળાના મહિલા આચાર્યે આ અંગે ગ્રામજનો ઉપર આક્ષેપ મૂક્યો હતો કે ગ્રામજનોએ અભદ્ર ભાષામાં તેની સાથે વાત કરી હતી અને તેને માર પણ માર્યો હતો. એટલું જ નહી પરંતુ આવા વ્યવહાર બાદ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના એકસાથે એલસી લેવા આવી પહોંચ્યા હતા.
શું છે ઘટના?
ઘટના એવી છે કે, ઝોલાપુર પ્રાથમિક શાળામાં પહેલાના આચાર્યની અહીંથી બદલી કરી દેવામાં આવી છે જેને પગલે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે, પહેલાના શિક્ષકને કાવતરુ કરીને અહીંથી ભગાડી દેવામાં આવ્યા છે. અગાઉ પણ ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી હતી જેને કારણે વિવાદ થયો હતો. શું કહે છે આચાર્ય અને શાળાનો સ્ટાફ?
શાળાના મહિલા આચાર્ય એ આક્ષેપો કર્યા હતા કે ગ્રામજનોએ અભદ્ર ભાષામાં તેમની સાથે વ્યવહાર કર્યો હતો તેમજ માર પણ મારવામાં આવ્યો હતો.