સુરતના વેવાઈ-વેવાણની લવસ્ટોરી યાદ છે? આવી જ એક પ્રેમ કહાની સાબરકાંઠામાં સામે આવી છે. પણ આ કહાનીનો અંત ખુબ દુઃખદ આવ્યો છે. વેવાઈ-વેવાણની લાશ લટકતી હાલતમાં ઝાડ ઉપરથી મળી આવી છે. વેવાઈ-વેવાણીની હત્યા થઈ છે કે તેમણે આત્મહત્યા કરી છે તે અંગે હજુ કંઈ વાવડ મળ્યા નથી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
સાબરકાંઠામાં મળી આવ્યા વેવાઈ-વેવાણનાં મૃતદેહ
ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યા મૃતદેહ
પાંચથી છ દિવસ પહેલા બંને થયા હતા ફરાર
સાબરકાંઠામાં વેવાઈ-વેવાણના મૃતદેહ ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. દિધીયા ગામની સીમમાંથી બંનેના મૃતદેહ મળતાં પોલીસે મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડાયા છે. મોતનું કારણ હત્યા છે કે આત્મહત્યા જાણી શકાયું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સત્ય શું છે જાણી શકાશે. હાલ આ મુદ્દે પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.
અગાઉ સુરતના વેવાઈ વેવાણની પ્રેમ કહાની વર્લ્ડફેમસ થઈ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં બાળકોના લગ્ન પહેલા જ વેવાઈ અને વેવાણ ભાગી ગયા હતા. દીકરાના લગ્ન પહેલા પિતા વેવાણને લઈને ભાગ્યા હતા. અગાઉ એકબીજાથી પરિચિત અને ભૂતપૂર્વ પ્રેમી-પ્રેમિકા સંતાનોને પરણાવવાને બદલે એકબીજાની સાથે ભાગી ગયા હતા. 14 ફેબ્રુઆરીએ છોકરા-છોકરીના લગ્ન થવાના હતા. પરંતુ બંનેના માતા-પિતા એટલે કે વેવાઈ-વેવાણ ભાગી જતા બંને પરિવારોએ લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. આ લવ સ્ટોરી ગુજરાત સહિત દેશભરમાં ટોક ઓફ ધી ટાઉન બની હતી ત્યારે બીજા એક વેવાઈ-વેવાણની લાશ મળી આવતા લોકોમાં ચકચાર થઈ ગઈ હતી.