એક તરફ સ્ત્રી સશક્તિકરણ ની વાતો છે તો બીજી તરફ સાબરડેરીમાં નોકરી મેળવવા માટે વિધવા પરિવાર ને મસમોટા ભ્રષ્ટાચાર નો શિકાર બનવું પડ્યું છે. અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે રહેતા એક બ્રાહ્મણ પરિવારે 15 લાખ આપ્યા પછી સાત વર્ષ બાદ નોકરી પણ ન મળી કે પૈસા પણ ન મળ્યા અને સાત વર્ષથી મળ્યા છે માત્ર નિસાસા.
વીટીવીની ટીમને ન મળ્યા એમડી
સાબરડેરીનું ભરતી કૌભાંડ શું છે?
ચેરમેનનો દીકરો જ ભરતીમાં વહીવટ કરે છે?
સાબર ડેરીમાં ભરતીમાં કૌભાંડનો એક ઓડિયો વાયરલ થયો હતો. ઓડિયોમાં ભરતીમાં કૌભાંડને સમર્થનની વાત કરવામાં આવેલી હતી. ઓડિયોમાં ડેરીના MD અને સ્થાનિક આગેવાન વચ્ચેની વાત હતી. એક કર્મચારીની ભરતી કરવામાં 20 થી 25 લાખ રૂપિયા લેવાની વાત કરવામાં આવી હતી. આ નાણાં સાબરડેરીના ચેરમેન લેતા હોવાનો આરોપ લાગ્યો હતો. સામે આવેલા ઓડિયો મુજબ ભરતી નાણાં લઈને થતી હોવાનું સમર્થન થતું હતું. 170 કર્મચારીઓની ભરતી કરવાની હતી જેમાં કૌભાંડ થયું છે. સાબરડેરીના MD અને જિલ્લા સભ્ય કીર્તિ પટેલ વચ્ચે ઓડિયો ક્લીપમાં આ કૌભાંડ ઉજાગર થાય છે. કિર્તી પટેલની રજૂઆત મામલે MD મોટો ખુલાસો કરે છે. 170 કર્મચારીઓની ભરતીમાં 150 પાસેથી નાણાં લીધા હોવાનો ખુલાસો થયો હતો. સાબરડેરીના ચેરમેન પર ભરતી કૌભાંડનો સીધો જ આરોપ છે.
નોકરી આપવાને બહાને પડાવ્યા રૂપિયા
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરીમાં નોકરી મેળવવા માટે આપેલા 15 લાખ પરત લેવા માટે છેલ્લા સાત વર્ષથી દર દરની ઠોકર ખાતું પરિવાર ન્યાય મેળવવા હવે એકમાત્ર ભગવાનનો ભરોસો રહ્યો છે ત્યારે સહકાર ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર કેટલો અને કેવો વ્યાપ્ત છે તેનું વરવું ઉદાહરણ સામે આવ્યું છે.
વિધવા બાઈએ જીવનભરની મૂડી સોંપી દીધી
અરવલ્લીના બાયડ રહેતા મંજુલાબેન ઉપાધ્યાય માટે પોતાના પરિવારની જવાબદારી હોવાના પગલે ઘરની તમામ સંપત્તિ એકઠી કરી તત્કાલીન ચેરમેન શામળભાઇ પટેલ અને તેમના દીકરાને રૂપિયા 15લાખ આપ્યા હતા જે 15 લાખ ના પગલે સાબર ડેરીમાં નોકરી આપવાની શરત સાથે તમામ સંપત્તિ દાવ પર લગાવી હતી જોકે તત્કાલીન ચેરમેન તેમજ હાલના ચેરમેન શામળભાઇ પટેલે આ મુદ્દે છેલ્લા સાત વર્ષથી નોકરી પણ નથી આપી કે પૈસા પણ પરત નથી આપી શકે.
વીટીવીની ટીમને ન મળ્યા એમડી
જોકે આ મુદ્દે ચેરમેન પાસે વી ટીવીની ટીમ જ્યારે ઇન્ટરવ્યૂ માટે ડેરીમાં ગયું ત્યારે ગેટ પર ના સિક્યુરિટી દ્વારા મીડિયાને પ્રવેશવા એમડી દ્વારા મનાઈ હુકમ કરવામાં આવી છે મીડિયાને સાબરડેરીમાં પ્રવેશ આપવો નહીં ત્યાં સુધી ડેરીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેથી મીડિયા પર પ્રતિબંધ મૂકવા તે પણ કૌભાંડ સંતાડવાનું એક કાવતરું દેખાઈ રહ્યું છે
ચેરમેનનો દીકરો જ ભરતીમાં વહીવટ કરે છે?
7 વર્ષ વિત્યા બાદ પણ કેમ કાર્યવાહી નહી? પરિવારને અત્યાર સુધી ન્યાય કેમ નથી અપાયો? શું ડેરીના સત્તાધિશો મળીને જ કૌભાંડ ચલાવે છે? ચેરમેનના દીકરાને કોણ છાવરે છે? ડેરીના કૌભાંડ મામલે સત્તાધિશોને જાણ છે? રૂપિયા મળ્યા બાદ પણ નથી આપતા નોકરી?