જૂનાગઢઃ વિકાસની વાતો અવાર-નવાર આપણે મુખ્યમંત્રીથી લઈને ભાજપના દરેક નેતાઓના મોઢે સાંભળીએ જ છીએ. જસદણમાં પણ ભાજપનો વિજય થતાની સાથે કુંવરજીથી માંડીને દરેક નેતાના મોઢામાં બસ વિકાસના બણગા જ સાંભળ્યા. પરંતુ શું ભાજપના નેતાઓ બોલે છે તેમ ગુજરાતમાં વિકાસ થયો છે. જો થયો જ છે.. તો એક એવું શહેર કેમ છુટી ગયું જ્યાં આજે પણ સરકારની બસો ભૂલેથી પણ સામ-સામે આવી જાય તો નિકળી પણ ન શકે. લોકોએ શહેરમાંથી બહાર નિકળતા કલાકો લાગી જાય. ત્યારે ગુજરાતનું એ ક્યુ શહેર છે. જે આજે પણ વિકાસથી છે વંચિત?
જૂનાગઢ જીલ્લાના વિસાવદરમાં છેલ્લા 30 વર્ષથી બાયપાસ મુદ્દો અધ્ધરતાલ જોવા મળી રહ્યો છે. જેના લીધે સ્થાનીકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા જોવા મળે છે. સરકાર દ્વારા વાલાદવલાની નીતિ રાખી કામ કરવામાં આવે છે. તેવો કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આક્ષેપ કર્યો છે.
વિસાવદરમાં વર્ષોથી બાયપાસ મુદ્દે અનેક રજૂઆત કરવા છત્તા હજુ સુધી બાયપાસ બન્યો નથી. હાલ ગોકળ ગતિએ કામગીરી શરૂ છે. આ બાયપાસ અમરેલી અને સત્તાધાર તરફ જાય છે. બાયપાસના બનવાને કારણે વિસાવદર શહેરની મુખ્ય બજારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. જ્યારે બે વાહનો આમને સામને આવી જાય તો નીકળી નથી શકતા. જેના કારણે સ્થાનીક લોકો અને વાહન ચાલકો ખુબ પરેશાન જોવા મળે છે.
ત્યારે સ્થાનિક લોકોનું કેહવું છે કે 1972થી આ બાયપાસનો પ્રશ્ન ચાલ્યો આવે છે. ત્યારે હજુ મંદ ગતીએ કામ થઇ રહ્યું છે. સરકારે નાણાં ફાળવી દીધા છતાં હજુ સુધી કામગીરી પૂર્ણ થઇ નથી. ત્યારે બાયપાસ વેહલી તકે બને તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.
CM આપ્યા મંત્રી આપ્યા..
જયારે વિસાવદર કોંગ્રેસના ધારાસભ્યનું કહેવું છે કે રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને રાજ્ય મંત્રી કનુ ભાલાળા અહીં રહી ચુક્યા છે છતાં આ પ્રશ્ન હાલ નથી કરી શક્યા. ત્યારે ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ અનેક વાર વિધાનસભામાં રજૂઆત કરેલ છે. સ્થાનિક તંત્રનું પણ અનેકવાર ધ્યાન દોરવામાં આવ્યું છે છતાં કોઈ નક્કર કામગીરી થતી નથી. જો આગામી 1 મહીનામાં બાયપાસ પૂર્ણ નહિ થાય તો સ્થાનીક લોકોને સાથે રાખી આંદોલન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને સરકાર વાલા દવલાની નીતિ રાખી કામ કરવામાં આવે છે.