ગાંધીનગરઃ ગરવી ગુર્જરી બાયર સેલર સમિટની શરૂઆત કરવામાં આવી હતી. ચાર દિવસીય સમિટનું સીએમ રૂપાણીએ ઉદ્ધાંટન કર્યું હતું. આ સમિટનો હેતું રાજ્યમાં બનતી હાથ બનાવટની વસ્તુઓને દેશ વિદેશમાં ખ્યાતના મળે તેવો છે.
તો આ સમિટમાં ભાગ લેવા માટે દેશના અનેક રાજ્યોમાંથી લોકો આવ્યા હતા. તો ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિની હાથ બનાવટો હવે દેશ વિદેશમાં વેચવા માટે ગુજરાત સરકારે ચાર દેશો સાથે કરાર કર્યા છે.
જેમાં ભૂતાન દુબઈ યુકે સહિત ચાઈના સાથે કરાર કર્યા છે. જેથી ગુજરાતની હેન્ડીક્રાફ્ટ્સનો વિદેશોમાં પણ વેચાણ થઈ શકે અને ગુજરાતની સંસ્કૃતિ વિદેશોમાં પણ પ્રચલિત બને. તો આ સાથે દેશભરમાં ગરવી ગુર્જરીની વસ્તુઓ ઓનલાઈન પણ મળી શકે તે માટે પણ પગલું ઉઠાવામાં આવ્યું છે.
3થી 6 ઓગસ્ટ સુધી આ ગરવી ગુર્જરી બાયર સેલર સમિટ ચાલશે. જેની શરૂઆત સીએમ વિજય રુપાણી દર્વા કરવામાં આવી છે. મહાત્મા મંદિરમાં યોજાનાર આ મીટમાં 100 આંતરરાષ્ટ્રીય અને 200 રાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લેશે.