ગાંધીનગરઃ ગુજરાતના 200 શિક્ષકો સરકારી નીતિના વિરુદ્ધમાં મુંડન કરાવવાની ચીમકી આપી છે. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ દ્વારા સરકારને અલ્ટીમેટમ અપાયું છે.
રાજ્યના ચાર ઝોનના શિક્ષકો દ્વારા આ ચીમકી આપવામાં આવી હતી. ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોના વેતન ભેદને દૂર કરવા માગ કરી રહ્યા છે.
ફ્કિસ પગારદારોની નોકરી સળંગ ગણવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. સાતમા પગાર પંચનો તફાવત આપવા કર્મચારીઓએ માગ કરી છે.
TA HRA સહિતના ભથ્થાના પ્રશ્રનો ઉકેલવાની માંગ કરી રહ્યા છે. પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 16 સપ્ટેમ્બરે મુંડન કરાવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.