મનરેગા હેઠલ વેતન ચૂકવવામાં ગુજરાત 16મા સ્થાને હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. શ્રમિકોને દૈનિક મજૂરી દર ચૂકવવામાં કોંગ્રેસ 194 રૂપિયા સાથે 16મા સ્થાને છે.
ગુજરાત સરકારની અછતગ્રસ્ત વિસ્તારોમાં 100 દિવસના બદલે 150 દિવસની રોજગારી આપવાની જાહેરાત પોકળ સાબિત થઈ છે. 150 દિવસ રોજગારી આપવાની સરકારની જાહેરાત માત્ર કાગળ પર જ છે.
અછતગ્રસ્ત પરિવારો સાથે સરકારે છેતરપિંડી કરી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે જણાવ્યું કે જે રાજ્યોમાં અછતગ્રસ્ત સ્થિતિ છે તે રાજ્યોએ કેન્દ્રમાં વધારાના 50 દિવસની રોજગારીની માગ કરી હતી.
જેમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશને વધારાના 50 દિવસની રોજગારી માટે મંજૂરી મળી ગઈ છે.જોકે ગુજરાતમાં અછતની સ્થિતિ હોવા છતાં રાજ્ય સરકારે કોઈ મંજૂરી મેળવી ન હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં મનરેગામાં ભ્રષ્ટાચાર થયો હતો તે સામે આવ્યું હતું. જેમાં મનરેગામાં કામ કરનારા 21 જેટલા ગ્રામજનોને નાણા નહીં ચુકવાતા ગ્રામજનો લાલઘૂમ થયા હતા.
તો બીજી તરફ મહેસાણાના સતલાસણામાં મનરેગા યોજનામાં 5 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું. જો કે આ બાબતે કન્સ્ટ્રકશન કંપનીના માલિક અને વનવિભાગના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.