રાજ્ય સરકારે ભાડાપટ્ટાની જમીનના માલિકી હક અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 7થી 30 વર્ષના ગાળાની ભાડાપટ્ટાની જમીન કાયમી કરાશે તેમજ જંત્રીના 15થી 60%ની વસૂલાત સાથે કાયમી જમીન કરાશે. જે અંગે મહેસુલ વિભાગે ઠરાવ જાહેર કર્યો છે.
જુઓ વિગતે મહેસુલ વિભાગનો ઠરાવ





આ પણ વાંચો: રાજકોટના યુવકે વિશ્વની ફલક પર વગાડ્યો ડંકો, કામ જ એવુ કર્યું કે WHO, NASA ગદગદ થયું
ઠરાવમાં આ નિયમો જણાવવામાં આવ્યા છે.
- સીટી સર્વે વિસ્તારમાં વખતોવખતની જોગવાઈ/નીતિ હેઠળ ભાડાપટ્ટે અપાયેલ જમીનોને આ યોજના લાગુ પડશે. બાકી અન્ય કેસો જેવા કે, ફળઝાડ, કપાસ અને અન્ય વૃક્ષના ઉછેર માટે ભાડાપટ્ટે જમીન ફાળવણી, નવસાધ્ય કરવા આપેલ જમીન, ઝીંગા ઉછેર માટે ભાડાપટ્ટે જમીન ફાળવણી, મીઠા ઉદ્યોગ માટે ભાડાપટ્ટે જમીન ફાળવણી, રમતગમતના મેદાન માટે ભાડાપટ્ટે જમીન ફાળવણી, સોલાર, વીન્ડ, સોલાર-વીન્ડ હાઈબ્રીડ યોજના માટે ભાડાપટ્ટે જમીન ફાળવણી, ગ્રીન હાઈડ્રોજન માટે જમીન ફાળવણી જેવા કેસોમાં આ યોજના લાગુ પડશે નહી તથા મહેસૂલ વિભાગની પ્રવર્તમાન જોગવાઈઓ યથાવત રહેશે.
- સીટી સર્વે વિસ્તાર સિવાયના અન્ય તમામ વિસ્તાર માટે મહેસૂલ વિભાગના તા:06/06/2023ના ફકરા ક્રમાંક:30ની જોગવાઈઓ લાગુ પાડવાની રહેશે.
- જમીનની ફાળવણી જે હેતુ માટે થઇ હોય તેનો કોઇ જ ઉપયોગ ન થયેલ હોય એટલે કે મુળથી વણવપરાયેલ હોય તથા સ્થાનિકે પ્લોટ ખુલ્લો હોય તેને આ યોજનાનો કોઇ લાભ મળવાપાત્ર રહેશે નહિ.
- જમીનનો ભાડાપટ્ટો પૂર્ણ થયેલ હોય કે ભાડાપટ્ટો પૂર્ણ થયેલ ન હોય પરંતુ હાલનો કાયદેસરનો ધારક કાયમી ધોરણે જમીન મેળવવા માંગતો હોય તો તેને આ યોજનાનો લાભ આપવાનો રહેશે.
- આ યોજના મુજબ રાહતકિંમતે કાયમી નિકાલ થતી આવી તમામ જમીનો જુની શરતની ગણવાની રહેશે.
- ભાડાપટ્ટે આપેલ જમીનનું ભાડું કે ભાડાનો કોઈ ભાગ ભરપાઈ કરવામાં આવેલ ન હોય તો ભરવાપાત્ર રાહત કિંમતના ૫% લેખે થતી રકમ ઉચ્ચક ભાડાપેટે વસુલ લેવાની રહેશે.
- આવી જમીનનો કાયમી ધોરણે નિકાલ કરતી વખતે જંત્રી કિંમત મુજબની સ્ટેમ્પ ડયુટી વસુલ લેવાની રહેશે.
- આ યોજના રાજયના તમામ જિલ્લાના સીટી સર્વે વિસ્તારોને જ લાગુ પડશે.
- તા.31/12/1990 પછી ભાડાપટ્ટે આપેલ જમીનોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં.
- ભાડાપટ્ટે આપેલી આવી જમીનો માટે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય ત્યાં સુધી આ યોજનાનો લાભઆપી શકાશે નહી.
- અરજદાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે અન્ય પછાત વર્ગનો હોય તો તે ઈસમને આ યોજનાનુસાર ભરવાપાત્ર થતી કિંમતમાં ૨૦%ની રાહત આપવાની રહેશે.
- આ યોજના મુજબ જુની શરતમાં ફેરવાયેલ જમીનને અન્ય તમામ પ્રવર્તમાન કાયદા-નિયમો લાગુ પડશે.
- જે કિસ્સામાં પટ્ટાની મુદત પૂર્ણ થયેલ હોય અને પટ્ટો પૂર્ણ થયો હોવા છતાં જો પટ્ટેદાર ઉક્ત યોજનાનો લાભ લેવા રસ ધરાવતો ન હોય તો પદેથી આપેલ જમીન પરનો કબજો દૂર કરી તાત્કાલિક ધોરણે જમીન શ્રી સરકાર હસ્તક બોજારહિત ઈમલા સહિત પરત લેવાની નિયમોનુસારની કાર્યવાહી સંબંધિત જિલ્લા કલેક્ટરએ અનુસરવાની રહેશે.
- બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ