ભ્રષ્ટાચાર સામે કડક હાથે કામ લેવામાં આવશે: રાજેન્દ્ર ત્રિવેદી
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે તેની ખાતરી આપુ છું: રાજેન્દ્ર ત્રિવેદી
મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની VTV NEWS સાથે વાતચીત કરી. VTV NEWS સાથેની વાતચીતમાં રાજેન્દ્ર ત્રિવેદીએ ભ્રષ્ટાચારીઓને મેસેજ આપ્યો છે કે ભ્રષ્ટાચાર સામે કડક હાથે કામ લેવામાં આવશે. અને અધિકારીઓને સ્પષ્ટ સૂચના અપાઇ છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાય. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે તેની ખાતરી આપુ છું.
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે મારુ કામ: રાજેન્દ્ર ત્રિવેદી
ગઈ કાલે જ મંત્રી પદની શપથ લઈ કાયદો અને મહેસૂલ ખાતું સંભાળવા જઈ રહેલા ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને હાલના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વીટીવી સાથે કરેલી એક્સકલુઝિવ વાતમાં તેમણે મહેસૂલ ખાતામાં થતાં ભ્રષ્ટાચારને નેસ્તો નાબુત કરવાની હામ ભરી હતી. તેમણે કહ્યું હતું કે કેબિનેટમાં કાયદા પ્રધાન બનાવવામાં આવ્યો છે તેમાં મારા વકીલાતના બહોળા અનુભવનો ઉપયોગ કરીશ, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દિવસ રાત એક કરી કામ કરીશ. કોઈ પણ પડકાર અમારી સામે નથી ભૂતકાળની સરકારે બધાજ સારા કર્યો કર્યા છે તે આગળ ધપાવવાની જવાબદારી અમને મળી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે લોકો સરળ રીતે ન્યાય મળે તે દિશામાં આગળ કામ કરવામાં આવશે.
મહેસૂલના અધિકારીઑ સાંભળીલે ભ્રષ્ટાચાર કર્યો તો ખેર નથી: રાજેન્દ્ર ત્રિવેદી
VTVના માધ્યમથી મહેસૂલ ખાતાના અધિકારીઑ અને કર્મચારીને ટાંકતા મહેસૂલ વિભાગના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કડક ભાષામાં સંદેશો આપ્યો હતો. અને કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, મારા ધ્યાનમાં જો કોઈ આ રીતની ફરિયાદ આવશે તો તેની ખરાઈ કરી તાત્કાલિકના ધોરણે પગલાં લેવામાં આવશે સાથે ગેરરીતિ કે ભ્રષ્ટાચાર કદાપી પણ નહીં ચલાવી લેવાય તેવો સૂચન કર્યું હતું. સાથે જ મહેસૂલ ખાતાના વધુ તકનીકી બનાવશે તેવો અંદેશો પણ આપ્યો હતો તમેં જણાવી દઈએ કે ભૂતકાળમાં હાલના પૂર્વ મુખ્યમંત્રી પણ જાહેર કાર્યક્રમમાં મહેસુલ ખાતાંમાં થતાં ભ્રષ્ટાચાર ખૂલીને બોલ્યા હતા તેમણે પણ મહદઅંશે મહેસૂલ ખાતામાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં મહત્વના પગલાં લીધા હતા ત્યારે હવે આગળ દિવસોમાં મહેસૂલ ખાતામાં રાજેન્દ્ર ત્રિવેદી કઈ રીતે કામ કરે અને કેટલા હદે ભ્રષ્ટાચારી બાબુઑ અને કર્મચારીઑ પર લગામ લગાવે તે આગળના સમયમાં જ ખબર પડશે.