ગુજરાતમાં કોરોના પીડિતોનો આંકડો ધીમી ગતિએ વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયસરસના પોઝિટિવ કેસ 53 થયાં છે ત્યારે આજરોજ કોરોના વાયરસને કારણે અમદાવાદમાં વધુ એક મોત નિપજ્યું છે. મૃતક મહિલા 45 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. જેમની શહેરની SVP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
ગુજરાતમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત
ગુજરાતમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં ચાર લોકોના મોત
અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં મહિલાનું મોત
રાજ્યમાં કુલ 53 લોકો કોરોના ગ્રસ્ત
આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં કુલ 53 લોકો કોરોનાગ્રસ્ત છે. જેમાં અમદાવાદમાં કુલ 2 લોકોના મોત થયાં છે જ્યારે રાજ્યનો કુલ મૃત્યુઆંક 4 થયો છે. આ અગાઉ સુરત અને ભાવનગરમાં એક-એક દર્દીનું મોત થયું છે.
#CoronaUpdate Today one #COVID19 patient, Female, 45 yrs, died today in SVP, Ahmedabad.
રાજકોટ શહેરમાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા 8 થઈ છે. હાલમાં રાજકોટમાં 5 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. આજે રાજકોટમાંથી 11 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 11માંથી 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, 9 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 47 થઈ છે. સૌરાષ્ટ્રમાં કોરોનાથી વધારે સાવચેતી રાખવાની જરૂર છે. આખા ગુજરાતમાં રાજકોટ સિવાય એક પણ કોરોના પોઝિટિવ કેસ નહીં.