અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યોજાઈ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે 4 વાગ્યાની મંગળા આરતીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદને આંગણે આજે 145મી રથયાત્રા
કેન્દ્રીય ગૃહમંત્રીએ જગત મંદિરમાં કરી મંગળા આરતી
મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 3.50 વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથની આસપાસ RAFના જવાનો ગોઠવવામાં આવ્યા છે. વહેલી સવારે 3:55 વાગ્યે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી.
गुजरात: केंद्रीय गृह मंत्री अमित शाह ने अहमदाबाद में जगन्नाथ मंदिर में 'मंगला आरती' की। pic.twitter.com/dhFRXa1hNN
આજે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનો આરંભ થશે ત્યારે વહેલી સવારે મંગળા આરતીબાદ ભગવાન જગન્નાથને ખીચીડીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાનની આંખેથી પાટા ખોલવામાં આવ્યાં હતાં. ભગવાનના પાટા ખોલતી વખતે ભક્તોએ રાસ અને ગરબાની પ્રસ્તુતિ કરી હતી.
#WATCH Ahmedabad, Gujarat | Union Home Minister Amit Shah performs 'Mangal Aarti' at Shree Jagannathji Mandir ahead of the 145th Lord Jagannath Rath Yatra which commences from today pic.twitter.com/brwjXjOqBo