રાજ્યસભામાં ભાજપના બન્ને ઉમેદવાર બિનહરીફ થયા છે. કોંગ્રેસ એક પણ ઉમેદવાર રાજ્યસભામાં નહીં ઉતારે કારણ કે, વિધાનસભામાં કોંગ્રેસ પાસે પુરતુ સભ્ય સંખ્યાબળ છે જ નહીં. અને પુરતુ સભ્ય સંખ્યાબળ ન હોવાથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બન્ને બેઠક માટે અલગ અલગ જાહેરનામું હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાજપ ની 8 અને કોંગ્રેસના 3 રહેશે
હાલની સ્થિતિએ કોંગ્રેસના ઉમેદવાર જીતવાની સ્થિતિએ નથી. રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસના માત્ર 3 સભ્યો જ બાકી રહી જશે. રાજ્યસભામાં ગુજરાતની 11 બેઠકો છે. ચૂંટણી બાદ ભાજપ ની 8 અને કોંગ્રેસના 3 રહેશે.
ભાજપની સ્થિતિ મજબૂત
હાલમાં રાજ્યસભાની 233 બેઠકમાંથી 10 બેઠકો ખાલી છે જેમાં ગુજરાતની 2 સહિત દેશમાં 10 બેઠકો રાજ્યસભાની ખાલી છે. હાલમાં રાજ્યસભામાં સૌથી વધુ સંસદો ભાજપ પાસે છે. ભાજપ પાસે 92 જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 37 સાંસદો છે અને દિનેશ ત્રિવેદી રાજીનામા પછી પણ TMC પાસે 12 સાંસદ છે ત્યારે મત અને વિચારથી વહેંચાયેલા વિપક્ષની સામે રાજ્યસભામાં ભાજપની સ્થિતિ મજબૂત છે.
ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાશે ત્યારે ભાજપે પોતાના બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં એક રામભાઈ મોકરિયા અને દિનેશ પ્રજાપતીને સ્થાન મળ્યું છે.
રામભાઈ મોકરીયા મૂળ પોરબંદર નાં વતની છે અને મારૂતિ કુરિયરનાં માલિક તથા ભાજપના ખૂબ જુના કાર્યકર્તા છે. 2019ની લોકસભા ચૂંટણી માટે તેઓ પોરબદર બેઠક પર પ્રબળ દાવેદાર હતાં પણ પસંદગી થઈ નહોતી. શ્રી મારુતિ કુરિયરની દેશભરમાં 2600થી વધુ ઓફિસો આવેલી છે. 22 દેશોમાં તેઓ કુરિયરની સર્વિસ આપે છે. એક રિપોર્ટ મુજબ તેમની કંપનીનું ટર્નઓવર આશરે 500 કરોડ જેટલું છે.
એસટી નિગમના પુર્વ ડિરેક્ટર છે. આ ઉપરાંત બનાસકાંઠા બીજેપીના મહામંત્રી વર્ષ 2000થી 2010 સુધી રહી ચુક્યા છે અને બનાસકાંઠાના આગેવાન છે અને પ્રજાપતિ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને ભાજપના ઓબીસી મોરચાના પ્રમુખ છે
કોંગ્રેસ બે બેઠક પર નહીં ઉભા રાખે ઉમેદવાર
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, રાજ્યસભાની પેટાચૂંટણીને લઈને બે બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉભા નહીં રાખે. બન્ને બેઠકોની ચૂંટણીનું મતદાન અલગ અલગ હોવાથી કોંગ્રેસે આ નિર્ણય લીધો છે. ભાજપના ઉમેદવાર સાથે કોંગ્રેસ ઉમેદવાર ઉતારે તો હાર થાય તેમ છે. ભાજપ જે ઉમેદવારોના નામ નક્કી કરે તેની જીત પાક્કી છે.
18મી ઉમેદવારી ભરવાનો છેલ્લે દિવસ
18મી ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. જો કોંગ્રેસ ઉમેદવાર ઉભા નહીં રાખે તો 18મી તારીખે બન્ને ઉમેદવારો બિનહરીફ થશે. પહેલી માર્ચે રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણીનું મતદાન છે.
કઈ બેઠક માટે ચૂંટણી
કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજનું નિધન થતા ખાલી બે બેઠકો ખાલી પડી છે. એક બેઠકની ટર્મ 2023માં જ્યારે બીજી બેઠકની ટર્મ 2026માં પૂર્ણ થાય છે.