રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકીને 3 વોટ ઓછા મળતા ભાજપને ખોળે 3 સીટો આવી છે. જ્યારે કોંગ્રેસમાં માત્ર શક્તિસિંહ જ વિજેતા બન્યા છે. BTPના છોટુ વસાવા અને મહેશ વસાવા મતદાન નહોતું કર્યુ. BTPના ધારાસભ્યોને ભાજપ મતદાન ન કરાવવામાં સફળ રહ્યુ છે. ભાજપની જીત પાક્કી થઈ ગઈ હતી. કોંગ્રેસે મતગણતરી પહેલા જ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને કેસરીસિંહ સોલંકીના મતદાન પર વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે હાલ મતગણતરી શરૂ થઇ છે.
રાજ્યસભાની 4 બેઠકોમાં 3 બેઠક ભાજપને મળી
કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલને પૂરતા વોટ મળી ગયા છે
BTPએ મતદાન ન કરીને ભાજપને મદદ કરી
કોંગ્રેસને એક જ બેઠક મળી
રાજ્યસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઇ
દિલ્હીથી કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો પરની મતગણતરીની મંજૂરી આપી છે. કોંગ્રેસે 2 મતો પર વિરોધ નોંધાવતા મતગણતરી અટકી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ઉઠાવેલા વાંધાને કેન્દ્રીય ચૂંટણી પંચે ફગાવ્યા છે. ત્યારે હવે કેન્દ્રીય ચૂંટણીપંચે મજૂરી આપતા રાજ્યસભાની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા શરૂ કરાઇ છે.
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ વ્યક્ત કરી શંકા
મત ગણતરીમાં વિલંબ મુદ્દે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ શંકા વ્યક્ત કરી હતી. ધાનાણીએ કહ્યું કે, બપોરે કરેલી અરજીનો હજુ સુધી ઉકેલ નથી આવ્યો. કંઇક અણધાર્યું થવાના એંધાણ છે. પેટીમાં પુરાયેલી મતોની કંઇ પળોજણ છે?
રાજ્યસભાની ચૂંટણીમાં મત ગણતરી પહેલા કોંગ્રેસ વિરોધ ઉઠાવ્યો છે. ભાજપ MLA કેસરીસિંહ સોલંકીના મત પર વાંધો ઉઠાવ્યો છે સાથે જ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના મત પર પણ વાંધો ઉઠાવ્યો છે.
ભરતસિંહ સોલંકીની જીત નહોતી થઈ અને ભાજપના 3 ધારાસભ્યોની જીત થઈ હતી જ્યારે કોંગ્રેસ BTP સાથેનું ગઠબંધન જોખમમાં આવ્યું હતુ કારણ કે, છોટુ વસાવાએ કોંગ્રેસને વોટ ન કરીને ભાજપને આડકતરી મદદ કરી હતી.
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટેનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે. BTP દ્વારા મતદાન ન કરાઈને ભાજપને આડકતરી મદદ કરવામાં આવી છે. ટુંક સમયમાં મતગણતરી શરૂ થશે. નાયબ મુખ્યમંત્રીએ આ અંગે જાહેરાત કરી હતી.
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવારોની જીત નક્કી જોવા મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચૂંટણીમાં કોંગ્રેસના એક જ ઉમેદવારની જીત થશે. નરહરી અમિનને 33 મત મળતા જીત નક્કી જોવા મળી રહી છે. જ્યારે ભાજપમાંથી અભય ભારદ્વાજ અને રમિલાબેનની જીત નક્કી છે. તો બીજી તરફ કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત નક્કી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરતસિંહ સોલંકીને 30 મત મળ્યાની સંભાવના છે.. ભરતસિંહને ઓછા મત મળતા હારની સંભાવના છે.
અત્યાર સુધીમાં 170 ધારાસભ્યોએ મતદાન કર્યુ છે. કુલ 172 મતમાંથી અત્યાર સુધીમાં 170 મત પડી ચૂક્યા છે. ભાજપના 103 ધારાસભ્યોએ મતદાન કર્યુ છે. કોંગ્રેસના 65 ધારાસભ્યોએ મતદાન કર્યુ . NCPના 1 ધારાસભ્ય અને 1 અપક્ષ ધારાસભ્યનુ મતદાન થઈ ચૂક્યું છે. BTPના 2 ધારાસભ્યોએ પણ મતદાન કરવાનુ બાકી છે.
ભાજપે 3 ઉમેદવાર તો કોંગ્રેસે 2 ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. હાલ ભાજપ પાસે છે 103 ધારાસભ્ય છે જ્યારે કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે. તો NCPના 1, BTPના 2 અને અપક્ષ 1 ધારાસભ્ય ગુજરાત વિધાનસભામાં છે ત્યારે આજે BTPનો મત પડશે તે ઉમેદવાર જીતશે.
BTPના 2 મત માટે ભાજપ-કોંગ્રેસના મરણિયા પ્રયાસ
BTPના 2 મત મેળવવા ભાજપ-કોંગ્રેસમાં ખેંચતાણ થઈ રહી છે. જેના પગલે કોંગ્રેસના રાજીવ સાતવ BTP ધારાસભ્યોના નિવાસે પહોંચ્યા છે. તો ભાજપના નેતાઓ પણ BTP ધારાસભ્યોને મનાવવા મંત્રી સૌરભ પટેલ અને ગણપત વસાવા પણ પહોંચ્યા હતાં. મહત્વનું છે કે રાજ્યસભાની આ ત્રણ 4 બેઠકોમાં ભાજપ-કોંગ્રેસ બંને માટે BTPના 2 મત બાજી પલટી નાંખનારા સાબિત થઈ શકે છે. એટલે છેલ્લી ઘડીએ આ મરણિયા પ્રયાસો બંને પક્ષ બાજુથી ચાલી રહ્યાં છે. આવામાં BTP સાથેની મીટિંગ બાદ કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલે કહ્યું હતું કે અમે BTPને વિનંતી કરી છે કે તેઓ કોંગ્રેસની સાથે આવે અને આદિવાસીઓના હક માટે સાથે મળીને લડીશું.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 19, 2020
શક્તિસિંહ ગોહિલે જીતનો આંકડો પાર કર્યો
મળતા સમાચાર મુજબ કોંગ્રેસના 35 થી વધુ ધારાસભ્યો મતદાન કરી લીધું છે અને એક પણ ક્રોસ વોટિંગ થયું નથી જેના પગલે શક્તિસિંહ ગોહિલની જીત નક્કી થઈ ગઈ છે તેમ ચોક્કસ કહી શકાય. મહત્વનું છે કે કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ પ્રથમ પસંદગી હતા. જ્યારે ભાજપના અત્યાર સુધી 66 ધારાસભ્યોએ મતદાન કર્યુ છે.
BTPએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી
VTV પાસે BTPની રણનીતિને લઈને એક્સક્લુઝિવ માહિતી છે. જેમાં એવું કહેવાય છે કે BTP તક જોઈને છેલ્લે કોને મત આપવો તે નક્કી કરશે. એટલે કે જો કોંગ્રેસ પાસે નંબર હશે તો BTP કોંગ્રેસ બાજુ જશે. જેમાં જો ભરતસિંહ જીતની નજીક હશે તો BTPનો મત ભરતસિંહને જશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
મહત્વનું છે કે BTP 3 વાગ્યા પછી મતદાન કરવાનું છે. ત્યારે એવું પણ કહેવાય છે કે જો BTPના મતથી કોંગ્રેસ જીતતી હશે તો મત આપશે. ત્રણ વાગ્યા સુધી BTP કોંગ્રેસના નંબર ગેમની રાહ જોશે અને જો કોંગ્રેસ નંબર ગેમમાં પાછળ જશે તો મત ભાજપને જશે.
NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ કર્યુ મતદાન
મતદાન બાદ કાંધલ જાડેજાનું નિવેદન આવ્યુ છે કે, પક્ષના કહેવા મુજબ રાજ્યસભા ચૂંટણી માટે મતદાન કર્યું છે. મત કોને આપ્યો તે કહીશ તો ગુપ્ત મતદાનનો મતલબ નહીં રહે. જો કે એવી વાતો વહેતી થઈ છે કે, કાંધલે પાર્ટીની અવમાન્યતા કરીને ભાજપને મત આપ્યો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 19, 2020
ભાજપના 3 ધારાસભ્યોનું પ્રોક્સી વોટિંગ
આજે 3 ધારાસભ્યો સહાયકની મદદથી મતદાન કર્યુ હતું. બલરામ થવાણીને પણ વ્હીલ ચેરમાં લાવવામાં આવ્યા હતા અને મતદાન કર્યુ હતું. માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને છાતીમાં દુઃખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે એક એક મત મહત્વનો હોવાથી જેમનું સ્વાસ્થ્ય ઠીક નથી તેમને પણ મતદાન પ્રોક્સી વોટિંગથી કરાવાઈ રહ્યું છે. આ ત્રણ ધારાસભ્યોમાં પરષોત્તમ સોલંકી, શંભુજી ઠાકોર અને કેસરીસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં આજે રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે જેમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો દ્વારા મતદાન થઈ રહ્યુ છે ત્યારે CM રૂપાણી પણ મત આપવા પહોંચ્યા હતા અને તેમણે હું કાર કરતા જણાવ્યું હતુ કે, કોંગ્રેસ હાર ભાળી ગઈ છે. ચૂંટણી મોકૂફ રાખવા કોંગ્રેસ સુપ્રીમમાં ગઈ છે. ભાજપના ત્રણેય ઉમેદવારો જીતશે. છોટુ વસાવા આદિવાસી નેતા છે. ભાજપે આદિવાસીઓ માટે ઘણા કામ કર્યા. BTPના મત પણ ભાજપને જ મળશે.
કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે બંને બેઠક કોંગ્રસ જ જીતશે. 4 વાગ્યા સુધીમાં ખબર પડી જશે કોંગ્રેસને કેટલા મત મળ્યા છે. માત્ર ધારાસભ્યો જ જાણે છે કે કોને મત આપ્યો છે.
રાજ્યસભાની ચૂંટણીના એક દિવસ પહેલા કેસરીસિંહ બિમાર થયા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેસરીસિંહના કેસમાં NCPના કાંધલ જાડેજાની મોટી ભૂમિકા રહી છે. મંત્રી હકુભા જાડેજા અને કાંધલ જાડેજાની મહત્વની ભૂમિકા રહી છે. મળતી માહિતી મુજબ ગઈકાલે આખો દિવસ કેસરીસિંહ હકુભા સાથે રહ્યા હતા. રાત્રે મહત્વની મિટિંગ બાદ NCPના ધારાસભ્ય કેસરીસિંહને ઘરે મુકવા ગયા હતા.. કેસરીસિંગ ક્રોસ વોટિંગ કરે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યાર બાદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજ. રૂપાણીએ કેસરીસિંહને સમજાવ્યા હતા.
રાજ્યસભાની ચૂંટણીમાં સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન કરવામાં આવી રહ્યું છે. સાંજે 5 વાગ્યા પછી મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના ચોથા માટે મતદાન અને મતગણતરી કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. મતદાન મથકની બહાર રાજ્ય સભાના પાસે ઉમેદવારોના ફોટા સાથેની માહિતી પણ લખવામાં આવ્યા છે. તો સાથે જ ભાજપ અને કોંગ્રેસના તમામ પાંચ ઉમેદવારોને નંબર આપવામાં આવ્યા છે. મતદાન મથકની બહાર આપવામાં આવેલા ક્રમાંકમાં પહેલો ક્રમાંક તરીકે અભય ભારદ્વાજ ભાજપના ઉમેદવાર છે. આ ક્રમાંકની આધારે બાકીના મેન્ડેટ પ્રમાણે ધારાસભ્યો મતદાન કરશે.
પહેલો ક્રમાંક તરીકે અભય ભારદ્વાજ, ભાજપ
બીજા ક્રમાંકમાં નરહરી અમીન, ભાજપ
ત્રીજા ક્રમાંકે શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ
ચોથા ક્રમાંકમાં રમીલાબેન બારા, ભાજપ
પાંચમા ક્રમાંકે ભરતસિંહ સોલંકી, કોંગ્રેસ
BTPના છોટુ વસાવાનું નિવેદન
મતદાન પહેલા BTPના છોટુ વસાવા અને મહેશ વસાવાએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે અમે વોટ આપવાનું જ નક્કી નથી કર્યુ. ST, SC, OBCને હક આપો પછી મતદાન કરીશું. ભાજપએ 30 વર્ષ રાજ કર્યું છે. માંગણીઓનો લેખિતમાં જવાબ મળે તો જ મતદાન કરીશુ. અમારી માંગણી સંતોષવામાં આવે. અને માંગ ન સંતોષાય તો અમે મતદાન કરવા નહીં જઇએ. 4 વાગ્યા સુધીનો સમય છે. ત્યારે માગણી સાંભળશે તો જ મતદાન કરીશું.
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.. ત્યારેહવે આ મામલે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ નિવેદન આપ્યુ છે કે, ભાજપના ત્રણેય ઉમેદવારની જીત નક્કી છે.. ભાજપમાં કોઈ પણ MLA નારાજ નથી... છેલ્લા 2 દિવસથી બેઠકમાં તમામ MLA હાજર હતા.. તમામ ધારાસભ્યોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે... કોંગ્રેસે કરેલા તમામ આક્ષેપ પાયાવિહોણા છે.