ગુજરાતમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન NCPના મતને લઇને પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ મહત્વનું નિવેદન આપ્યું છે. NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ રાજ્યસભાની ચૂંટણીમાં કાંધલ જાડેજાએ મેન્ડેટ મુજબ જ મત આપ્યો હોવાને લઇને પ્રતિક્રિયા આપી છે. જયંત બોસ્કીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા.
NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીનું કાંધલ જાડેજા અંગે નિવેદન
રાજ્યસભાની ચૂંટણીમાં મેન્ડેટ મુજબ જ મત આપ્યો
કોંગ્રેસના ધારાસભ્યોઓ ચૂંટણી સમય વહેંચાઇ જાય છે
રાજ્યમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ દ્વારે પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એક-એક મત માટે એડીચોટીનું જોર લગાવામાં આવ્યું હતું. રાજ્યમાં BTP અને NCP ના ધારાસભ્યોનું મતદાન પોતાના તરફ કરવાને લઇને બંને પક્ષો દ્વારા મહેનત કરવામાં આવી હતી.
NCP હાઇ કમાન્ડ દ્વારા પાર્ટીના ધારાસભ્યનો મત કોંગ્રેસને આપવાને લઇને મેન્ડેટ જારી કરવામાં આવ્યો હતો. જો કે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કાંધલ જાડેજાએ ભાજપને મત આપ્યો હોવાની અટકળો લગાવામાં આવી હતી. ત્યારે આજે પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ ભાવનગર ખાતે કાંધલ જાડેજાને લઇને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.
NCP પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીએ જણાવ્યું છે કે રાજ્યસભાની ચૂંટણીમાં કાંધલ જાડેજાએ મેન્ડેટ મુજબ જ મત આપ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી સમયે જ વહેંચાય જાય છે. આમ જયંત બોસ્કીના નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. જયંત બોસ્કીના નિવેદનથી તર્કવિતર્ક લગાવામાં આવી રહ્યાં છે.