ચાર સીટ માટે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી થવાની છે ત્યારે ભાજપ-કોંગ્રેસના પાંચ ઉમેદવારો મેદાનમાં હોવાથી કશ્મકશ છે. કોઇ પણ ઉમેદવારને જીતવા માટે 35.4 મતની જરુર છે. ભાજપ પાસે હાલમાં એનસીપી મળીને 104 મત છે. જિગ્નેશ મેવાણી સહિત 66 ધારાસભ્ય કોંગ્રેસ પાસે છે. ત્યારે સમજીએ રાજ્યસભામાં જીતનું ગણિત.
રાજ્યસભાની 4 સીટો માટે ગુજરાતમાં આવતીકાલે ચૂંટણી
ભાજપ-કોંગ્રેસના પાંચ ઉમેદવારો મેદાનમાં હોવાથી કશ્મકશ
નરહરી અમીન અને ભરતસિંહ સોલંકી વચ્ચે ભારે હરિફાઇ
બીટીપીનું કોંગ્રેસ બાજુ જવાની સંભાવના વધારે
હાલમાં વિધાનસભામાં 172 સભ્યનુ મતદાન છે. રાજ્યસભામાં જીત માટે 35.4 મતની જરરુ છે. ભાજપને બે ઉમેદવારને 35.4 મત, ત્રીજા ઉમેદવાર પાસે 33.2 મત મળે. નરહરી અમીન માટે ટોટલ મતની સંખ્યા 33.2 મત રહેશે. કોંગ્રેસ પાસે હાલમાં 65 ધારાસભ્યોનું સંખ્યાબળ છે.
જિગ્નેશ મેવાણી રાજ્યસભામાં કોંગ્રેસને જ ટેકો આપશે
જિગ્નેશ અને કોંગ્રેસ સાથે છે. કોંગ્રેસનું 66 મતનું સંખ્યાબળ છે. બીટીપી વગર કોંગ્રેસના બીજા ઉમેદવારને 30.6 મત મળે છે. બીટીપી સાથે કોંગ્રેસના બીજા ઉમેદવારને 32.6 મત મળે છે.
ભાજપના ત્રીજા ઉમેદવાર પાસે સીધા 33.2 મત છે. બીટીપી રાજ્યસભાની ચૂંટણીમાં ગેમ ચેન્જરની ભુમિકામાં છે. જો બીટીપીનો એક પણ મત ભાજપ તરફ રહે તો જીત નક્કી છે. બીટીપીના બે મત કોંગ્રેસ તરફ રહે તો કશ્મકશની હાલતછે. જો ભાજપમાંથી કોઇ ધારાસભ્ય ભુલ કરે તો કોંગ્રેસ જીતી શકે તેમ છે. નરહરી અમીન અને ભરતસિંહ સોલંકી વચ્ચે ભારે હરીફાઇ છે.
સવારે 9થી સાંજના 4 સુધી મતદાન
રાજ્યસભાની ચૂંટણીમાં સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. સાંજે 5 વાગ્યા પછી મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના ચોથા માટે મતદાન અને મતગણતરી કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. મતદાન મથકની બહાર રાજ્ય સભાના પાસે ઉમેદવારોના ફોટા સાથેની માહિતી પણ લખવામાં આવ્યા છે. તો સાથે જ ભાજપ અને કોંગ્રેસના તમામ પાંચ ઉમેદવારોને નંબર આપવામાં આવ્યા છે. મતદાન મથકની બહાર આપવામાં આવેલા ક્રમાંકમાં પહેલો ક્રમાંક તરીકે અભય ભારદ્વાજ ભાજપના ઉમેદવાર છે. આ ક્રમાંકની આધારે બાકીના મેન્ડેટ પ્રમાણે ધારાસભ્યો મતદાન કરશે.
પહેલો ક્રમાંક તરીકે અભય ભારદ્વાજ, ભાજપ
બીજા ક્રમાંકમાં નરહરી અમીન, ભાજપ
ત્રીજા ક્રમાંકે શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ
ચોથા ક્રમાંકમાં રમીલાબેન બારા, ભાજપ
પાંચમા ક્રમાંકે ભરતસિંહ સોલંકી, કોંગ્રેસ
મતદાન મથક અને મતગણતરી સ્થળને સંપૂર્ણ સેનેટાઈઝર કરવામાં બાદ જ મતદાન અને મતગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે ખાસ તકેદારી રાખવામાં આવનાર છે. ચૂંટણીમાં કોરોના મહામારીને લઈ ખાસ તકેદારીના પગલાં લેવાશે. વિધાનસભા પ્રવેશ પહેલા મેડિકલ ટીમ તપાસ કરશે. મેડિકલ ટીમ દ્વારા ધારાસભ્યોને થર્મલ ગનથી તપાસ થશે. સભ્યોને સેનિટાઇઝર આપવામાં આવશે. સભ્યો પાસે માસ્ક નહિ હોય તેને માસ્ક પણ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે
ચૂંટણી પહેલા બે વાર મતદાન સ્થળનું સેનિટાઇઝેશન થશે. સેનિટાઇઝેશન અને મેડિકલ તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રહેશે. ઉલ્લેખીય છે કે, આ માટે કેન્દ્રીય ચુંટણી પંચ સાથે ગુજરાત ચુંટણી આયોગની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન સ્પેશિયલ ઓબ્ઝર્વર ઉપસ્થિત રહેશે, જે દિલ્હીથી ગુજરાત આવ્યા છે. મતદાનથી મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સ્પેશિયલ ઓબ્ઝર્વર ઉપસ્થિત રહેશે. સમગ્ર મતદાન પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. પહેલી વાર વીડિયોગ્રાફી સાથે સીસીટીવી કેમેરા દ્વારા પણ નજર રખાશે એટલું જ નહીં પણ વેબકાસ્ટિંગ દ્વારા દિલ્હીથી પણ અધિકારીઓ નજર રાખી શકશે.