ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસની સ્થિતિ જોતા ઘણીવાર પ્રશ્ન થાય કે કોંગ્રેસ જ ભાજપના પક્ષે છે કે શું? ગઈકાલે ઉમેદવારોની જાહેરાત અને પછી ધારાસભ્યોને તાબે થઈને કોંગ્રેસની જાહેરાતને પગલે ભાજપે 3જા ઉમેદવારને મેદાને ઉતારીને 3 બેઠક જીતવા માટેની વ્યૂહ રચના બનાવી લીધી છે. ક્રોસ વોટીંગ કરીને પણ ભાજપ 3 બેઠકો મેળવવા માંગે છે. ત્યારે DYCM નીતિન પટેલે કોંગ્રેસ માટે કહ્યું હતુ કે તે જે કરે છે સારૂ કરે છે અમારા જ ફાયદામાં છે.
પહેલા રાજીવ શુક્લાનું નામ જાહેર થયું હતું: નીતિન પટેલ
શું કહે છે નીતિન પટેલ?
સંખ્યાબળના આધારે અમારી પાસે વધુ મતો છે. અમારા 2 ઉમેદવારો સ્પષ્ટ બહુમતીથી જીતશે. કોંગ્રેસનો જૂથવાદ બહાર આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યો નારાજ છે. કોંગ્રેસે ઉમેદવાર બદલવા પડ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોમાં અસંતોષ છે. કોંગ્રેસના ધારાસભ્યો પસંદગીના કારણે નારાજ છે. કોંગ્રેસ ધારાસભ્યો નારાજ છે તેથી અમે ત્રીજો ઉમેદવાર ઉતાર્યો
અમારા ત્રણેય ઉમેદવારો જીતવાના છે
કોંગ્રેસમાં જૂથવાદ-નારાજગીથી અમને ફાયદો થશે. પહેલા રાજીવ શુક્લાનું નામ જાહેર થયું હતું. કોંગ્રેસનો જૂથવાદ ખુલીને બહાર આવ્યો હતો. કોંગ્રેસ મોવડીમંડળને ધારાસભ્યએ ગર્ભિત ચીમકી આપી હતી.
મધ્યપ્રદેશ બાદ કોંગ્રેસ ડરેલી છે
મધ્યપ્રદેશની રૂપરેખા જોઈ ગુજરાત કોંગ્રેસ ડરી છે. કોંગ્રેસમાં પાટીદાર ઉમેદવારની માગ ઉઠી હતી. કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોમાં નારાજગી છે. કોંગ્રેસનો જૂથવાદ અમને ફાયદો કરાવી રહ્યો છે. મધ્યપ્રદેશમાં પણ અમે કંઈ નહોતું કર્યું. જ્યોતિરાદિત્ય કોંગ્રેસથી નારાજ હતા.
કોંગ્રેસની ભૂલોના કારણે આ બધુ થઈ રહ્યું છે
ગુજરાતમાં પણ કોંગ્રેસની અણઆવડત ઉઘાડી પડી છે. અમે કોઈનો ભોગ લેતા નથી. ઘણીવાર લાંબાગાળે મોટું નુકસાન થતું હોય છે. કોંગ્રેસના મોટા કાંગરા ખરી રહ્યા છે.