ગાંધીનગરમાં ઘમાસાણ મંડાયુ છે. રાજ્યભાની ચુંટણીને લઈને ભાજપ કોંગ્રેસ બંને બેડામાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપના નેતાઓની આશા ઉપર પાણી ફેરવી દીધુ છે. આ અંગે શંકરસિહંનું નિવેદન આવતા રાજકારણમાં ઓર ગરમાવો આવ્યો છે.
26મી માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે જેમાં કોંગ્રેસ બે ઉમેદાવારો મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપે 3 ઉમેદાવારોને રણસંગ્રામમાં ઉતાર્યા છે. આવા સમયમાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે બીજા પક્ષો પણ મહત્વના સાબિત થાય છે ત્યારે NCPના શંકરસિંહ વાઘેલાનું મહત્વપુર્ણ નિવેદન આવ્યું છે.
શું કહ્યુ બાપુએ?
રાજ્યસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. ચૂંટણીમાં ભાજપની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કોંગ્રેસને NCPનો મળશે સપોર્ટ મળી શકે છે. NCPના પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, અમારું સ્ટેન્ડ એન્ટી બીજેપી જ રહેશે. ગુજરાત રાજ્યસભા ઈલેક્શનમાં એનસીપી( NCP )ના સભ્ય કોંગ્રેસને જ સમર્થન આપશે.
કોંગ્રેસ BTP અને NCP પર દબાણ લાવી શકે છે
રાજ્યસભામાં NCP અને BTP ક્રોસ વોંટિંગ કરશે તો કોંગ્રેસ અને તેમનું ગઠબંધન તુટશે. કોંગ્રેસ BTP અને NCP પર દબાણ લાવી શકે છે. ક્રોસ વોટિંગ થશે તો 2022મા ગઠબંધન નહિ રહે. 2017માં કોંગ્રેસ BTPના ઉમેદવારો સામે ચૂંટણી લડી ન હતી. રાજ્યસભામાં BTP ક્રોસ વોટ કરશે તો 2022 કોંગ્રેસ BTP સામે ઉમેદવાર ઉભા રાખશે.