ગુજરાતમાં રાજ્યસભા ઈલેક્શન કેટલાય તડજોડના સમીકરણો સામે લાવશે. કોંગ્રેસ અને ભાજપ માટે રાજ્યસભાની બેઠકો માટે એક એક મત મહત્વના છે ત્યારે NCPના પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાને ઓવરરૂલ કરીને કાંધલ જાડેજા ભાજપને મત આપશે તેવુ ચર્ચાઈ રહ્યુ છે આ અંગે સોમવારે ભાજપ સાથે કાંધલની મીટિંગ છે. ત્યારે જોવું રહ્યુ કે બાપુ કોંગ્રેસના સાથનું રટણ કરી રહ્યા છે જ્યારે કાંધલ ભાજપ સાથે વાટાઘાટો કરી રહયો છે.
NCPમાં થઇ શકે છે વિવાદ, કાંધલ જાડેજા આપી શકે છે ભાજપને મત
શંકરસિંહના નિર્ણયની કરી શકે છે અવગણના
કાંધલ CM રૂપાણીને મળે તેવી શક્યતા
રાજ્યસભાની ચૂંટણીમાં રસાકસી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ NCPના કાંધલ જાડેજા ભાજપને મત આપશે. NCP કહેશે તો પણ કાંધલ જાડેજા ભાજપને મત આપશે. ત્યારે કાંધલના નિર્ણયને લઇ NCPમાં વિવાદ થઇ શકે છે. કાંધલ જાડેજા શંકરસિંહ વાઘેલાના નિર્ણયની અવગણના કરી શકે છે. સોમવારે કાંધલ જાડેજા મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. કાંધલ જાડેજા કુતિયાણાથી NCPના ધારાસભ્ય છે અને તેઓ કોંગ્રેસને સમર્થન કરશે તેવું શંકરસિંહ વાઘેલા નિવેદન આપી ચૂક્યા છે.
જીતનું રાજકારણ શું છે?
ભાજપ પાસે હાલ પોતાના 103 ધારાસભ્યો છે પરંતુ રાજ્યસભામાં 3 ઉમેદવારોની જીત માટે ભાજપને 111 વોટ જોઈએ છે એટલે ઉપરના વોચ કોંગ્રેસને તોડીને અથવા તો NCP, અપક્ષ વગેરેના જ લેવા પડશે. આ માટે તડજોડની નીતિમાં NCPમાં ભંગાણ માટે ભાજપે આગ ચાંપી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
શું કહ્યુ બાપુએ?
રાજ્યસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. ચૂંટણીમાં ભાજપની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કોંગ્રેસને NCPનો મળશે સપોર્ટ મળી શકે છે. NCPના પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, અમારું સ્ટેન્ડ એન્ટી બીજેપી જ રહેશે. ગુજરાત રાજ્યસભા ઈલેક્શનમાં એનસીપી( NCP )ના સભ્ય કોંગ્રેસને જ સમર્થન આપશે.
કોંગ્રેસ BTP અને NCP પર દબાણ લાવી શકે છે
રાજ્યસભામાં NCP અને BTP ક્રોસ વોંટિંગ કરશે તો કોંગ્રેસ અને તેમનું ગઠબંધન તુટશે. કોંગ્રેસ BTP અને NCP પર દબાણ લાવી શકે છે. ક્રોસ વોટિંગ થશે તો 2022મા ગઠબંધન નહિ રહે. 2017માં કોંગ્રેસ BTPના ઉમેદવારો સામે ચૂંટણી લડી ન હતી. રાજ્યસભામાં BTP ક્રોસ વોટ કરશે તો 2022 કોંગ્રેસ BTP સામે ઉમેદવાર ઉભા રાખશે.
રાજયસભા ઈલેકશન ઉમેદવાર
એપ્રિલ મહિનામાં રાજ્યસભાના 55 સાસંદોની મુદ્દત પુરી થાય છે જેને પગલે ભારતમાં 55 બેઠકો અને ગુજરાતમાં 4 બેઠકો ઉપર 26મી માર્ચૂંચના ટણી યોજાવાની છે.