ભાજપ કરોડોનાં ધારાસભ્યોના સોદા કરે છે. અને જો ભાજપ ઈમાનદાર હોય તે કાંગ્રેસના ધારાસભ્યોને ન લે. ભાજપે ધારાસભ્યોને રૂપિયા આપ્યા છે. પક્ષપલટુ લોકો માટે જનતાએ નિર્ણય કરવો પડશે.
ભાજપે 20થી 60 કરોડમાં ખરીદ્યા ધારાસભ્યો
હું આપમાં જોડાવાનો છું તેવા ભાજપને સપના આવે છે
પક્ષપલટુઓને જાહેરમાં મેથીપાક ચખાડવો જોઈએ
રાજ્યસભામાં ભાજપ કોંગ્રેસની રસાકસી અને ભાજપના કોંગ્રેસી ધારાસભ્યોના હોર્સટ્રેડિંગ અંગે હાર્દિકે નિવેદન આપ્યું હતુ, કે, પક્ષ પલટો કરનારા ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મેથીપાક આપવો જોઈએ. ભાજપ 20થી 60 કરોડ સુધીમાં ધારાસભ્યોને ખરીદી કરી રહી હોવાનો પણ હાર્દિકે પટેલે આક્ષેપ લગાવ્યો છે.
કોર્ટમાંથી આપ્યુ નિવેદન
એક સભામાં રાજકીય નિવેદન આપવા બાબત નોંધાયેલા કેસને લઈને હાર્દિક પટેલ સુરત કોર્ટમાં ઉપસ્થિત રહ્યો હતો. ત્યારે તેણે કહ્યુ કે, નિવેદન આપતા કહ્યુ કે, જે લોકો રાજ્યની જનતાને દગો આપી રહ્યા છે આવા ધારાસભ્યને જાહેરમાં મેથીપાક આપવો જોઈએ અને જાહેરમાં ચપ્પલો થી મારવા જોઈએ.
કોરોના મુદ્દે હાર્દિક પટેલનુ નિવેદન
ગુજરાતમાં પણ વિધાનસભા સત્ર ટુંકાવવુ જોઈએ. પણ ગુજરાત સરકારને તો કોરોનાની પડી જ નથી.
જો હું આપમાં જોડાવાનું હોય તો લીંક લાવો
ભાજપને ધોળા દિવસે સપના આવે છે. આપમાં જોડાવા બાબતે ભાજપવાળા અટકળો શોધી લાવે છે. 26મી માર્ચે ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેેસે 3 અને ભાજપે 2 ઉમેદવારો ઉભા રાખ્યા છે. અને આ ઉમેદવારોને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે.